________________
પ્રવજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૩
કર્યું પણ તેમાં લેશ માત્ર આસક્તિ ધરાવી નહિ. હવે પિતાનું ભેગાવલી કમ પણ થયું જાણી તેઓ ચારિત્રની પૂર્વ તૈયારી કરવા લાગ્યા તેવામાં કાંતિક દેવતાઓએ આવી પિતાના નિયમ મુજબ પરમાત્માની ભાવનાને પુષ્ટિ આપી. દરેક તીર્થ કરેના સંબંધમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ લોકતિક દેવેની “સ્વામિન્ ! તીર્થ પ્રવર્તાવે” એવી વિજ્ઞપ્તિ બાદ લેઓના દારિદ્રયને દૂર કરનારું સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યું. પ્રતિદિન એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું કલ્પવૃક્ષની માફક યથેચ્છ દાન આપવા લાગ્યા. વર્ષ પૂર્ણ થયે પિતાના પુત્ર સુવ્રતને રાજ્યવહીવટ સં .
રોગ્ય સમય આવતાં જેમ હસે શુષ્ક બનેલા સરોવરને ત્યાગ કરે તેમ પરમાત્માએ સંસારને ત્યાગ કર્યો. સુવ્રત રાજાએ આ પુણ્યપ્રસંગને ભાવવા રાજ્યની સમગ્ર સાધન-સંપત્તિ વહેતી મૂકી. એક હજાર પુરુષો વહન કરી શકે તેવી અપરાજિત નામની ભવ્ય શિબિકા પ્રભુને બેસવા માટે તૈયાર કરવી. આવા પવિત્ર અને પ્રાણીગણના કલ્યાણકારક પ્રસંગને લાભ લેવા ૬૪ ઇદ્રો પણ પોતપોતાના પરિવાર સહિત આવી પહોંચ્યા. આ પ્રમાણે સુવ્રત રાજવી અને દેવેએ મળીને જેમને ભવ્ય નિષ્કમણત્સવ કરેલ છે એવા પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપર્યુકત શિબિકામાં બેસી નીલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એક પછી એક આભરણે તથા સુંદર વસ્ત્રોને ત્યાગ કર્યો એટલે ઇન્દ્ર પ્રભુના સ્કંધ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું, જે તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com