SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઘંટાકર્ણ મંત્રજાપ ] આ જાપની સિદ્ધિ મેળવનાર મહાન આમા અપૂર્વ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. કદાચ કોઈને ફાંસીને હુકમ થયે હોય તે બેંતાલીસ દિવસના એકનિષ્ઠાપૂર્વકના શુધ્ધ જાપથી તે ભયંકર હુકમ પણ રદ કરાવી તેને અભયદાતા બની શકે છે. તે જ પ્રમાણે ભયંકરમાં ભયંકર સર્પદંશથી કેઈને જીવ તાળવે ચઢી ગયા હોય અને મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હોય તેવા સમયે આ સિધ્ધપુરુષ મંત્રજાપ જપતે જાય અને મૃત્યુશય્યા પર પડેલ મનુષ્યને મુખદ્વારા કુંક મારતે જાય તે અલ્પ સમયમાં વિષધરનું વિષ ઉતરી જઈ તે મનુષ્ય જાણે ઊંઘમાંથી જાગૃત થયે હોય તે પ્રમાણે આળસ મરડી ઉભો થાય છે. તે જ પ્રમાણે રાજ્ય તરફના ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધથી સિધ્ધપુરુષના હાથે તેને બચાવ થાય છે. કઈ પણ પરરાજ્ય તરફથી થએલ ભયંકરમાં ભયંકર હુમલા પ્રસંગે પણ પિતાની માતૃભૂમિનું રક્ષણ કરવા સમર્થ બને છે. એકંદર ગમે તેવા ભયંકરમાં ભયંકર જીવનમરણના પ્રસંગમાં આ મંત્રનો જાપ મૃત્યુંજય જાપ તરીકે ઉપયોગમાં આવે છે. વળી આ પ્રભાવિક જાપના રટણથી મનુષ્ય ઉચ્ચ દેવગતિગામી બને છે. પરંતુ આ બધું કયારે બને? જ્યારે જાપને સાધક આત્મા શુધ્ધ આચારવાળે, અહિંસાપ્રેમી, અભક્ષ્ય-અનંતકાયને ત્યાગી, અપેયને ત્યાગી તેમજ કોમળ હૃદયનો સાધુચરિત હોય ત્યારે. આ ઉપરાંત તેનું શીલઆચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. બ્રહ્મચર્યવ્રતન ધારક તેમજ પરસ્ત્રી પ્રત્યે માતૃવત્ જોનાર હોવો જોઈએ. આ જાપ સિધ્ધ કરનાર માણસ તેને ઉપયોગ પિતાને માટે તેમજ પારકાને માટે સંકલ્પ કરીને કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy