SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ૧૪. એકવીશ વાર જપી, પાણી ભરેલા એક પ્યાલામાં ફૂંક મારી, તે પાણુ પેટના શૂળવાળાને પાવામાં આવે તે પેટનું શૂળ મટી જાય છે ૧૫. સાત વખત મંત્રનો જાપ ગણી, કેશરનું તિલક કરવાથી પતિ-પત્ની વચ્ચે ઉદ્દભવેલા કલેશનું નિવારણ થાય છે. તેમજ જેના કુટુંબમાં કલેશનું વાતાવરણ હોય તે દરેક વ્યકિતને સાત વખતના જાપવડે મંત્રેલ કેશરનું તિલક કરવાથી પરસ્પર પ્રેમભાવ વૃદ્ધિ પામે છે અને કુટુંપકલેશ દૂર થાય છે. ૧૬. પ્રભાતે આ મંત્ર એકવીશ વખત ગણી પાણીના ત્રણ ઘુંટડા નિત્ય પીવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે તેમજ બુધ્ધિ નિર્મળ રહેવા સાથે પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થાય છે. ૧૭. આ જાપ એકવીશ વખત જપી, પિતાના થુંકનું તિલક કરી રાજદરબારે જવાથી રાજા તથા પ્રધાનાદિક અધિકારીઓની મહેરબાની પ્રાપ્ત થાય છે. ૧૮. આ મંત્રજાપ જપી, પાઘડીને ગાંઠ વાળવી અને ગાંઠવાળી પાઘડી પહેરીને જવાથી દરેક જાતને જશ મળે છે; એટલું જ નહિ પણ ભયાનક અટવીમાં મુસાફરી કરતાં હિંસક-કૂર પ્રાણીઓના ઉપદ્રવમાંથી પણ બચાવ થાય છે. આ ઉપરાંત વ્યાપારા બજારમાં જતાં વેપારમાં દ્રવ્યલાભ થાય છે. આ મંત્રના સાધકે એટલું સાવચેત રહેવું કે આ પવિત્ર મંત્રને ઉપગ કેઈને વશ કરવામાં કે ખોટી રીતે હેરાન કરવામાં ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy