SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર મારા “ હે પૂજ્ય ! આ અધમ મંત્રી નમુચીતું કપટ જાણવામાં આવ્યું નહિ. આપ કૃપા કરો. ખરી રીતે આ દ્વેષ મારે। જ છે, કારણ કે મે' પ્રમાદ સેન્યા. આ મારા સેવક છે અને સેવકના દોષથી સ્વામી દુઃખી થાય છે; માટે મારા આ અપરાધ ક્ષમા કર. હું પણ આપનો સેવક છુ... અને આપ મારા સ્વામી છે એટલે મારા પર કૃપા લાવી ત્રણ લેાકની પ્રજાને સંશય ઉપજાવનારું આપનું આ વિરાટ સ્વરૂપ આપ સક્ષેપે.” આ પ્રમાણે અત્યંત આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરવાથી કરુણાનિધાન વિષ્ણુકુમારે પેાતાનો દેહ સંક્ષેપી લીધા. મહાપદ્મ ચક્રવર્તીએ અધમ નસુચીને દેશવટો આપ્યા અને પોતે સવ મુનિ રાજોને અત્યંત ખમાવ્યા. વિષ્ણુકુમાર આ પ્રમાણે આવી પડેલ સંકટનું સ’હરણ કરી, ગુરુની આજ્ઞા લઈ પુનઃ પેાતાના તપશ્ચર્યા તથા ધ્યાનના કાર્યમાં રક્ત રહેવા માટે મેરુપર્યંત પર ગયા અને ક્ષપકશ્રેણી માંડી ઘાતીકમના નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુ પૂર્ણ થયે મેાક્ષલક્ષ્મીના ભાક્તા થયા. આ છેલ્લા પ્રસંગ પછી મહાપદ્મ ચક્રવતીએ સ`સાર પરથી ઉદ્વેગ પામી લણી લીધેલા ક્ષેત્રના પંખીએ જેમ ત્યાગ કરે તેમ છ ખંડ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને સદ્ગુરુ સમીપે સંયમ સ્વીકાયું. સિંહવૃત્તિ સદેશ સયમનું દશ હજાર વર્ષ પર્યન્ત સમ્યક્ પ્રકારે પાલન કરી, ઘાતીકમના ક્ષય કરી, પ્રાંતે શિવલક્ષ્મી પ્રાપ્ત કરી. તેમનું આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું તે પૈકી કુમારવયમાં પાંચસા વર્ષે, માંડલિકપણામાં પણ પાંચસા વ, દિવિજયમાં ત્રણુસા વ, ચકવી પણામાં અઢાર હજાર ને સાતસેા વર્ષ તેમજ વ્રતમાં દશ હજાર વર્ષ વ્યતીત કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy