SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર નથી. રોગીને આપેલ અપથ્ય જેમ ઊલટું વિશેષ હાનિકારક બને છે તેમ સંસારમાં ભમતા પ્રાણીને આ રાજ્યાદિ વિલાસે વિપરીત રૂપે પરિણમીને આ અનંત ભવસાગરમાં ભટકાવે છે, માટે હું પણ આપની સાથે જ સંયમ સ્વીકારીશ.” વિષ્ણકુમારને મનેભાવ જાણી લીધા પછી પોત્તર રાજાએ ચકવત્તી બનેલ મહાપકુમાર રાજ્ય સુપ્રત કર્યું. મહાપદ્રકુમારે પણ પિતાના પિતાને તથા વડીલ બંધુ વિકુમારને મહાઆડંબરપૂર્વક નિષ્ક્રમણોત્સવ કર્યો. બંનેએ શુભ મુહૂર્તે ભાગવતી દીક્ષા સ્વીકારી. મહાપદ્મ ચક્રવર્તી રાજગાદી હસ્તગત કરતાં જ પહેલી તકે પિતાની માતાનું મનવાંછિત પૂર્ણ કર્યું. અને આહંતરથ આખા નગરમાં દબદબાપૂર્વક ફેરો. આ રથયાત્રા સુધી પોત્તર તથા વિષ્ણુકુમાર મુનિ સહિત સુવતાચાર્યે તે નગરમાં સ્થિરતા કરી. બાદ અન્યત્ર વિહાર કરી ગયા. કેટલાક કાળ વ્યતીત થયા બાદ પોત્તર રાજા સંયમના ઉત્કૃષ્ટ પાલનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમારે ઉગ્ર તપશ્ચર્યાએ શરૂ કરી અને તેને પરિણામે તેઓને અનેકwલબ્ધિઓ પ્રાપ્ત થઈ. અત્યંત * લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તો શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગોમાં લબ્ધિધારી વ્યકિતએ પોતાની લબ્ધિનો ઉપયોગ કરે છે. શાસન પ્રભાવના નિમિત્તે શ્રી વજસ્વામીએ, બાદ્ધ રાજાને ચમત્કાર દર્શાવવા પર્યુષણ મહાપર્વમાં આકાશમાર્ગે જઈ વિપુલ પુષ્પરાશિ લઈ આવ્યા હતા. લબ્ધિઓ તો અસંખ્ય પ્રકારની છે, પરંતુ ખાસ કરીને અઠ્ઠાવીસ લબ્ધિઓ વિશેષ પ્રસિદ્ધિપાત્ર છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy