SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર દર્શન માત્રથી જ મૃગેનું વિશાળ જુથ નાશી જાય તેમ વિદ્યાધરે નું સન્ય નાશી ગયું. પિતાના સૈન્યને અચાનક ભંગ થયેલ જોઈ બંને વિદ્યારે જીવ લઈને નાશી ગયા. આ સમયે નવમા ચકવર્તી તરીકે મહાપલને ચક્રવત્તી પણાના ચિહને રૂપ કરને પ્રાપ્ત થયા. ચરિત્નાદિ પ્રાપ્ત થતાં જ બળવાન મહાપર્વે ભરતક્ષેત્રના છ ખંડ સાધી લીધા. શુકલપક્ષની ચતુર્દશીએ ચંદ્રકળાની એક કળા અપૂર્ણ રહે તેમ મહાપદ્રકુમારને એક સ્ત્રીરત્ન સિવાયની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આટલી દ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થવા છતાં મદનાવની મહાપદ્મના હૃદયપટમાંથી દૂર થઈ નહોતી. મદનાવલીને પ્રાપ્ત કરવાના મિષે કીડાથે તે પુનઃ તાપસ આશ્રમમાં આવ્યું. હવે તે નાગવતી પણ મહાપદ્મના ચકવર્તીત્વના સમાચારથી પરિચિત બની હતી એટલે હાથકંકણને આરસીની જરૂર રહેતી નથી તેમ નાગવતીએ મદનાળીને મહાવકુમાર સાથે પરણાવી આ પ્રમાણે સ્ત્રીરત્નને પણ પ્રાપ્ત કરીને ચકવર્તીની સંપૂર્ણ સાહ્યબી સંપાદન કરી મહાપદ્રકુમાર પુનઃ હસ્તિનાપુર આવ્યું અને માત-પિતાના ચરણકમળમાં હર્ષપૂર્વક પ્રણામ કર્યા. * ચક્રવર્તીને ચૌદ રત્ન પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે૧ ચક્રરાન, ૨ દંડરન, ૩ સેનાપતિરત્ન, ૪ અથરત્ન, ૫ ગજરત્ન, ૬ પુરોહિતરત્ન, ૭ ગૃહપતિ રત્ન, ૮ વર્ધકારત્ન ૯ ચર્મરત્ન ૧૦ છત્રરત્ન, ૧૧ મણિરત્ન, ૧ર કાંકિણીરત્ન, ૧૩ ખડૂગરત્ન અને ૧૪ સ્ત્રીરત્ન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy