SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલ મૂળચંદની ભાગ્યરેખા પણ ગુરૂએ જોઈ લીધી, ને જાણ્યું કે તે ચેડા વખતમાં ધર્મસ્તંભ થશે તે આશયે તેની માગણી કરી. જીવનભર ધર્મને અંગભૂત કરનાર ગુરૂની આજ્ઞાને શિરસાવંઘ માનનાર પિતાથી ન બને તેપણ પિતા દ્વારા યા પિતાની પ્રેરણાથી થનાર શાસનપ્રભાવના માટે ઉલ્લસિત રહેનાર દીવાળીબાઈ. એ તુર્ત ગુરૂવચનને સ્વીકાર કર્યો. અને જાણે તે શાસનપ્રભાવના પિતે પિતાની જોવા ન તલસતા હોય તેમ તેમની છત્રછાયામાં રાખી ગુરૂની સાનિધ્યતાથી મૂળચંદે વ્યવહારિક અભ્યાસમાં અદ્વિતીય પ્રગતિ સાધવા સાથે ધાર્મિક શિક્ષણમાં પણ ઠીક ઠીક પ્રગતિ સાધી અને જોતજોતામાં ચાર પ્રકરણ, છ કમગ્રંથ, સંગ્રહણ, ક્ષેત્રસમાસ ગ્રંથોનો સારામાં સારો અભ્યાસ કર્યો. અને સાથે ગુરૂના સંસર્ગથી જ્ઞાનપરિમલ, સંયમની મહાવતા, અને સંયમની અમૂલ્યતા સમજવા સાથે જીવનમાં સંયમરસ જા. તેટલામાં તે છતી આંખે મૂળચંદની શાસનપ્રભાવનાને જેવા ઇચ્છનાર દીવાળીબાઈ પિતાના પુત્રસમ જાણેજના જીવનમંગળના સમાચાર જાણ દેવોને પહોંચાડવાની ઉતાવળથી સ્વર્ગે સીધાવ્યાં. જન્મ અને મરણ જીવની પ્રકૃતિસમ માનવાની ચેગ્યતામાં આવી પહોંચેલા મૂળચંદને માસીનું મૃત્યુ દુઃખ કે શેકરૂપે ન લાગ્યું, પરંતુ તે મૃત્યુ તેના હૃદયમાં માણસ માત્ર મૃત્યુને આધીન છે તે તેણે શકય જીવન પંથને ઉજવળ કરવામાં કેમ પ્રમાદ કર ઘટે? તે ગુજારવથી જીવનપંથ ઉજવળ કરવાની તમન્ના ઉત્પન્ન કરનાર બન્યું અને સંયમ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034965
Book TitlePanyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1938
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy