________________
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
નંદ તરત જ પામી ગયે કે મારું સ્વપ્ન મને મહાન બનવાની આગાહી આપે છે. અને પંચ દિવ્યાના પ્રભાવે અપુત્ર ઉદાયીના મૃત્યુ પછીની બીજી હવારે નંદ મગધના પાયતખ્ત પર સવતંત્રસ્વતંત્ર સત્તાધીશ બન્યો. નાનું રાજ્ય મગધ દેશની સત્તાનું વાહક ત્યારથી આ રીતે શરૂ થયું
શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણબાદ, ૬૦ વર્ષના ગાળે મગધના માલીક તરીકે નંદરાજ્ય-નંદવંશ મગધના પાયતખ્ત પાટલીપુત્ર પર પ્રસિદ્ધિને પામ્યો.
પણ મહારાજ નંદને હજુ કેટલાએ સામન્ત, ખંડીઆ રાજાઓ અને જૂના સત્તાધારી વર્ગો, પિતાના
સર્વસત્તાધીશ” તરીકે સ્વીકારવાને સાફ સાફ શબ્દોમાં નકારતા. એ લોકોને એ પડકાર હતે; “ગણિકાના પુત્ર અને હજમના વર્ણસંકર સંતાનને મગધના પવિત્ર સિંહાસનને અભડાવતે અમે કદિ નહિ જોઈ શકીએ'-આવા ઉદામવૃત્તિના લોકેના બળવાને દાબી દેવાનું ભગીરથ કાર્ય, મહારાજા નંદને માથે શરૂઆતના જ કાળમાં આમ અચાનક આવી પડ્યું.
નંદના ભાગ્ય-નંદની અચિત્ય પુષ્પાઈએ, નંદને માટે બધી જ અનુકૂળતાએ ઘડી રાખેલી હતી. “ક્ષત્તિ પુણાનિ પુરારિ'-એ શાસ્ત્રવચન સંસારના પારદ્રષ્ટા અનુભવીઓનું નવનીત છે. એ કદિ અફળ રહેતું નથી. અગાધ સાગરમાં તેફાની વાયુની બૂમરાઓ લેતા ભયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com