SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થ રચના ' સૂરિજીની વિદ્વત્તા કે પ્રતિભાની પરિચાયક રૂપી કોઈજ કૃતિ આજે ઉપલબ્ધ નથી. કેવળ એક “વ્યવસ્થા-કુલક’ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શિક્ષા કુલક) જ ઉપલબ્ધ છે, જેને સાનુવાદ આ પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવેલ છે. વળી, સૂરિજીના શાસનકાલમાં રચાએલ ખરતરંગછીય વિસ્તૃત સાહિત્ય પણ પ્રાપ્ય નથી. એક ગ્રન્થ અમારા આવલેકવામાં આવેલ છે, અને તે “બ્રહ્મચર્ય પ્રકરણ” ગા.-૪૩ કે જે શ્રાવક કપુરમલ્લની કૃતિ છે. તે આ પુસ્તકના હિંદી પ્રકાશનમાં પ્રકાશિત કરાય છે. ઉપસંહાર મહાત્મા ભર્તુહરિની "गुणाः पूजास्थानं गणिषु न लिंगं न च वयः " પૂજાનું સ્થાન તો ગુણે છે, વેષ જાતિ કે અવસ્થા નહીં આ ઉકિતને બરાબર સે એ સે ટકા અનુરૂપ સૂરિજીનું જીવન છે. છ વર્ષની ઉમ્મરે દીક્ષા, અને આઠ વર્ષની વયે આચાર્ય પદ- આટલી લઘુવયે આવા મહાન પદની પ્રાપ્તિ અને તે પણ મેગીન્દ્રચૂડામણિ યુગપ્રધાન પરમપિતામહ શ્રી જિનદત્તસૂરિજી મહારાજના હસો, એ અસાધારણ જ નહીં, કિન્તુ અકલ્પ્ય પણ છે, અને સૂરિજીની અપ્રતિમ પ્રતિભાના પૂરાવા રૂપે છે. ચિત્યવાસી પદ્મચન્દ્રાચાર્ય જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્યને શાસ્ત્રાર્થમાં આપેલ પરાભવ, અને દિલ્હીશ્વર મહારાજા મદનપાલનું ચમત્કૃત થઈ અનન્ય ભક્તવત્સલ બનવું એ સૂરિજીના અમર્યાદ પ્રભાવના પ્રતીકરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy