________________
સંપાદકનું સ્વલ્પ વકતન્ય
પ્રસ્તુત ચરિત્ર પ્રકાશનનું પ્રયાજન નેમિ જિન શાસનાધિષ્ઠાતૃ ઉજ્જયંત તીર્થાધિવાસિની અંબિકાદેવી પ્રકટિત યુગપ્રધાનપદ્મભૂષિત, એક લાખને ત્રીશ હજાર જૈનેતરીને જૈન ધર્મના એધ આપી જૈન ધર્મોનુયાયી બનાવી એસવાળ જાતિમાં સંમિલિત કરનાર મહાત્ શાસન પ્રભાવક આચાર્ય પ્રવર શ્રી જિનદત્તસૂરિજી મહારાજના ચરિત્રગત સંપાદકીય વક્તવ્યમાં દૃર્શાવ્યા મુજબ દાદાગુરૂદેવના ભક્તગણુ જે રાષ્ટ્ર(હિંદી) ભાષાને નહીં સમજનારા છે. તેવા ગુજરાતાદિ દેશવાસી ભાવુકાને પણ ગુરૂદેવના પૂનીત જીવનના પરિચય સહેલાઇથી કરાવવે છે.
આથી પૂર્વ પ્રકાશિત મેચરિત્રોની પેઠે આ ચરિત્રના પણ ખાસ લેખક બીકાનેર (રાજસ્થાન) વાસ્તવ્ય પરમ ઈતિહાસાન્વેષક શ્રીમાન અગરચંદજી તથા ભવરલાલજી નાહટા છે. તેના અક્ષરશઃ ગુજરાતી અનુવાદજ આ પ્રકાશિત થઈ રહયું છે. ફકત ફરક એટલું જ કે હિંદી સંસ્કરણના પહેલા પરિશિષ્ટમાં આપેલ ચરિત્રનાકરચિત ‘વ્યવસ્થા-શિક્ષા-કુલક’ અહિ. છેવટે આપેલ છે, તેમ ચરિત્ર નાયકના પરમભક્ત વિદ્વાન શ્રાવક કપૂરમલ રચિત જે હિંદી સંસ્કરણમાં બીજા પરિશિષ્ટ તરીકે આપેલ છે તે આમાં આપેલ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com