SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સૂરિજીએ સમ્રાટને ધમ દેશના આપી, અને સાથેના સંઘ લોકાએ સમ્રાટના ભાવભર્યાં સત્કાર કર્યાં. પૂજ્યશ્રીની અમૃત વાણી સાંભળી મદનપાલના હૃદયમાં ભિકતના પરમસ્રોત વહેવા લાગ્યા, જેના પરિણામે ભકિતવત્સલ મહારાજાએ સૂરિજીને પૂછ્યું. મહારાજ! આ સમયે આપનું શુભાગમન કર્યું ખાજુથી થયું છે? જવાબમાં સૂરિજીએ કહ્યું ‘અમે રૂદ્રપક્ષીથી આવી રહ્યા છીએ, મહારાજાએ તેમના પરમ પુનિત ચરણા વડે પોતાના નગરને પાવન કરવાની અભ્યર્થના સૂરિજી મહારાજને કરી. સૂરિજી નિરૂત્તર હતા, કારણકે ગુરૂદેવ શ્રીજિનદત્તસૂરિજીના ઉપદેશ એમનાં સ્મરણમાં હતા. પર ંતુ સૂરિજીના મૌનનુ કારણુ મહારાજાથી કળી શકાય તેમ નહોતું. એટલે મહા રાજાએ કહ્યું કે- આચાર્ય મહારાજ! આપ નિરૂત્તર કેમ છે? મારી પ્રાર્થનાના જવાબ કેમ નથી આપતા ? મારી વિનતિના સ્વીકાર આપે કરવાજ જોઇએ. શું મારી નગરીમાં આપના કોઇ પ્રતિપક્ષી છે ? કે પછી આપના પરિવારને ચેાગ્ય અનજલની અસુવિધા લાગે છે? કે કાઇ નુ દુજ કારણ છે ? કે જેથી મામાંજ મ્હારૂ નગર હાવા છતાં એને છેડીને આપ અન્યત્ર જવાના વિચાર રાખેા છે ? જવાબ આપે, ભગવન્ત !” એ રીતે મહારાજા મદનપાલે પ્રશ્નોની ઝડી વરસાવી પેાતાનું હૃદય ખાલી કર્યું. સૂરિજીએ કહ્યું “રાજન, આપનું નગર । આગેવાન ધર્મક્ષેત્ર છે, પરન્તુ ×××સૂર્ણ વાકય પૂરૂ' કરે તે પહેલાંજ સમ્રાટે આગળ ચલાવ્યું. “ તા પછી આપ ઉઠો. તાબડતાખ દિલ્હી પધારો. મારા નગરમાં આપની સામે કાઈ આંગળી સુધાં ઊંચી નહીં કરી શકે, એટલેા વિશ્વાસ રાખજો.” એક બાજુ દિલ્હશ્વર મદનપાલના કિતભર્યો તીવ્ર આગ્રહ હતા, બીજી તરફ શ્રીજિનદત્તસૂરિજીની દ્દિલ્હી ગમન નિષેધાત્મક આજ્ઞાનું ઉલ્લંધન થાય એમ હતું. સૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy