SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મહિલા મહોદય. સ્તનની ડીંટડી મહોંમાંથી ન છોડે ત્યાં લગી તેને ધવરાવવું, પણ જે ડીંટડી છેડી દે તે તેને સંતોષવંત થયું જાણી ધવરાવવાની તાણ કરવી નહીં. તેમજ ધવરાવવા અગાઉ માતાએ શેક, દ્વેષ, કેધ, ચિંતા, બહુ હસવું, ઢચક ઢચક પાછું પીવું કે શ્વાસ ચડે તેવું કામ ન કરવું. તેમજ પરસેવો વળે હોય તે બાળકને ન ધવરાવવું, નહીં તે તે વખતના વિકાર પામેલા ધાવણથી જરૂર બાળક બીમારીનું ભક્તા થશે. સ્તનપાનને સમય પહેલે બીજે મહીને કદાચ વધારે વખત બાળકનું ગળું ન સૂકાવાની ખાતર વધારે ધવરાવવું પડે તે હરકત નહી, પણ પછી દર ત્રણ ત્રણ કલાકે, ચાર મહીનાનું થાય ત્યારે દર ચાર ચાર કલાકે, અને રાત્રિએ બે વખત કે એક વખતજ ધવરાવવું. અને રાતે ધવરાવતી વખતે માતાએ બેઠાં થઈને સ્વસ્થપણે ધવરાવવું. સૂતે સૂતે ધવરાવવાથી વખતે માતા શ્રમને લીધે ઉંઘી જાય, અને તેવી ઉંઘણશી આદતને લીધે કે બેચેનીને લીધે બાળક તરફ પાસે ધસી આવે તે બાળકના મહેપર સ્તનનું દબાણ થવાથી ડીંટડીવડે તેનું મહ ભરાઈ જતાં બંધ થાય છે, નાક દબાવાથી પૂરત શ્વાસ ન લેવાતાં ગુંગળાય છે, મોં બંધ હોવાથી રડી શકતું નથી અને દબાણથી મુક્ત થવા. ની શક્તિ ન હોવાથી કેટલીક વેળાએ માઠા સમાચાર મળવાના દાખલા બને છે, માટે કદિ તેવી રીતે સૂઈને ધવરાવવાની આદત રાખવી નહીં. જો કે હમેશાં તેમ થવા સંભવ નથી, તે પણ કોઈ સમયે જે કારણથી આવું પરિણામ નીપજે, તે કારણને તદૃન બંધ પાડવાની જરૂર છે. ધાવણ વધારવાને ઉપાય ધાવણ વધારવાની ખાતર ડોકટરે કેટલીક વખત બીર પિટર કે બીજા માદક પદાર્થ આપવાની સલાહ અને ભલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy