________________
અનુવાદકના બે બોલ.
પદ્યાત્મક ભાષાંતર કરવાને આ હારે ત્રીજો પ્રયાસ છે. અમિતગતિકૃત સામાયિક પાઠ અને માનતુંગાચાર્ય કૃત ભકતામરના ભાષાંતરે ક્યા પછી નવે પ્રયાસ કરવાની હારી ઈચ્છા ન હતી. પરંતુ જે દિવસે અમદાવાદથી ભકતામરના ભાષાંતરની બુકે છપાઈને આવી તેજ દિવસે બિકાનેરના શ્રીયુત્ મૈદાન તેજમલ શેઠીઆએ પ્રસિદ્ધ કરેલ
મહાવીર સ્તુતિ ” નું માગધી કાવ્ય અનાયાસે મારા હાથમાં આવ્યું તે જોઈ મને ભાષાંતર કરવાની ઈચ્છા થઈ આવી. “ઓધવજી સંદેશે કહેજે શ્યામને” એ સાદા પણ કપ્રિય રાગમાં ભાષાંતર કરી લીંબડી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજીને જેવા મોકલાવ્યું. અને તેઓ શ્રીને પ્રસ્તાવના લખવાની વિનંતિ કરી. તેઓએ કૃપા કરી મારી માગણીને સ્વીકારી અને ઉપકૃત કર્યો છે. તે પ્રસ્તાવના પરથી શ્રી મહાવીરના પ્રભાવની કાંઈક ઝાંખી વાંચનારને આવશે.
૨ પ્રભુના સામર્થ્યનું સંપુર્ણ વર્ણન કરવું તે મનુષ્ય શક્તિની બહાર છે. અને તે વર્ણન કરવાને શ્રી સુધર્મા સ્વામી જેવા મહાન પુરૂષ ગ્ય ગણાય. ઉપલક દ્રષ્ટિથી વાંચનારને આ કાવ્યમાં પુનરૂકિત લાગશે. પરંતુ દરેક શબ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com