SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યો છે અને રહેશે, તે તે આપણું કર્મના બળે જ! મેટું પણ ઝાડ મોટું થયું શાથી અને ટકે છે શાથી? બીજ વિના ઝાડ થાય નહિ અને મોટું પણ ઝાડ બીજ વિના ટકી શકે નહિ. ઝાડ ગમે તેટલું મોટું હોય, પણ તેને વગર હથીયારે પણ નાશ થઈ શકે છે. માત્ર મૂળમાં દેવતા મૂકવાની જરૂર. જે ઝાડનું મૂળીયું ખતમ થઈ જાય, તે ઝાડ ખલાસ જ થઈ જાય. વૃક્ષનું કારણ મૂળીયું છે અને એ મૂળીયું બળે એટલે ઝાડ થોડા વખતમાં જ સાફ ! એ જ રીતિએ સંસાર ભયંકર છે, પણ તેનું કારણ કર્મ છે. સંસારના કારણભૂત કર્મને સાફ કરવા માંડે, એટલે સંસાર સાફ થવાને જ. કર્મના ઘણું ભેદ-પ્રભેદે છે અને કલ્યાણના કામી આત્માઓએ તે પણ જાણી લેવા જોઈએ, પણ અત્યારે તે કહેવાનો અવકાશ નથી. આથી ટૂંકમાં વાત એટલી કે-ભયંકર એવા પણ સંસારનું કારણ કર્મ છે, માટે ભયંકર સંસારથી મુક્ત બનવાની ભાવનાવાળા મહાનુભાવોએ કર્મને નાશ કરવાને-કર્મથી સર્વથા રહિત બની જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આપણું કર્મથી જ ઉચે કે નીચે જઈએ છીએ, માટે વિવેકી બને ! કર્મને નાશ કરે કોણ અને કર્મને જીવન્ત રાખે છે? એ માટે બે પ્રકારના આદમીની કલપના થઈ શકે. એક વિવેકવાળે અને એક વિવેક વિનાને. વિવેકવાળો કર્મરહિત બને અને વિવેકવિહીનનું કર્મ જીવન્ત રહે એટલે એને ભયંકર સંસાર પણ જીવન્ત રહે! અહીં વિવેકરહિતની અને વિવેકસહિતની ક્રિયાઓના પરિણામને સમજાવવાને માટે બે ઘણું જ 20 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034951
Book TitleMahavir Parmatmani Pratham Deshna
Original Sutra AuthorN/A
AuthorVijayramchandrasuri, Sudhanshuvijay
PublisherSureshchandra Nemchandra Shah
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy