________________
નથી. શ્રી તીર્થંકરદેવોએ અનુકૂળતાઓને લાત મારી છે અને પ્રતિકૂળતાઓને ઉભી કરી ખૂબ સમાધિમય બનીને ભોગવી છે. આ વાત આપણે ધ્યાનમાં આવવી જોઈએ અને હરેક અવસ્થામાં મેહને મારવાને વિચાર કાયમ બન જોઈએ. આવી રીતિએ જે પ્રભુના જીવનને અભ્યાસ કરીએ. તો જ આપણે એ તારકની આજ્ઞાને પાળવાને સમર્થ બની શકીએ. કેવલજ્ઞાન પામતાં પૂર્વે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે રીતિએ વર્યા છે. તે જોઈએ તે આપણને એમ જ લાગે કે-એ રીતિએ વર્તવાથી ઘાતી કર્મોનો ક્ષય થવે એ મુશ્કેલ નથી. ગહસ્થપણે ગમે તેટલા સુકોમળ હેવા છતાં પણ, સાધુપણેએ કઠેર જ બન્યા છે. ભગવાના જીવનને વાંચવા, સાંભળવા આદિ દ્વારા આ સાર લેવો જોઈએ. આપણે એના સેવક છીએ અને એની આજ્ઞા મુજબ વર્તનારા બનીને આપણે આપણું મોહને માર છે. એમના જેવું સામર્થ્ય આપણામાં નથી એટલે એ તારકોની જેમ આપણાથી વતી શકાય તેમ નથી, પણ આપણે આપણું સામર્થ્ય મુજબ કયી રીતિએ મેહની સાથે સંગ્રામ ખેલી શકીએ તેમ છીએ, એ આ તારકની આજ્ઞામાંથી આપણે જાણી શકીએ તેમ છીએ; એ માટે જ આજે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ઉપદેશને ટૂંકમાં પણ ખ્યાલ આપવાનો વિચાર રાખે છે. ભવે ભવે શ્રી જિનેશ્વરદેવના ચરણની સેવા મેળવવાને દઢ સંકલ્પ કરે :
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જુવાલિકા નદીને તીરે કેવલજ્ઞાન પામ્યા, કે તરત જ દેવતાઓએ આવીને ત્યાં સમ
13 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat