________________
તે વર્ષમાં બનેલું સમજવું નહીં. જે જે વર્ષમાં જેમના નામે લખ્યા છે તેમને પ્રભુ સાથે પ્રથમ સમાગમ તે વર્ષમાં થયેલ સમજ. અજ્ઞાત હકીકત ક્રમસર જાણી શકાય તેટલા માટે જ આ પ્રયાસ કરેલ છે. તેમાં થયેલ ખલના માટે પ્રારંભમાં જ મિચ્છા દુક્કડં દેવામાં આવે છે.
દીક્ષા લીધા બાદ ૧૨ાા વર્ષે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા, પછી પાવાપુરી પધાર્યા અને દેશના આપી. ૧૧ ગણધરની સ્થાપના કરી. ત્યાંથી રાજગૃહી તરફ પધાર્યા. ત્યાં શ્રેણિક રાજા, અભયકુમાર, અજાતશત્રુ (કેણિક), મેઘકુમાર, નંદિષણકુમાર (દશદશના પ્રતિબંધક)ને અનુક્રમે સમાગમ થયે. મહાવીર પરમાત્માએ શ્રાવક ધર્મ કહ્યો. પ્રભુએ રાજગૃહીમાં જ તેરમું ચોમાસું કર્યું.
ચોમાસાબાદ વિદેહ તરફ ગમન. માહણકુંડ ગામે પધારવું. ત્યાં દેવાનંદા ને કહષભદર( પ્રભુના મૂળ માતાપિતા)નું પ્રભુ પાસે આગમન. પ્રભુના ઉપદેશથી તેમણે પ્રભુ પાસે લીધેલી દીક્ષા. (પ્રાંતે મોક્ષગમન.)
જમાલિ ને પ્રિયદર્શના(પ્રભુના જમાઈ ને પુત્રી)એ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. પ્રભુએ વિશાળા તરફ જઈને ચંદમું ચોમાસું વિશાલામાં કર્યું.
માસાબાદ વત્સદેશ તરફ ગમન. ત્યાંથી કૌશાંબી પધારવું. જયંતી શ્રાવિકાનું મિલન. તેના પ્રશ્નો ને પ્રભુના ઉત્તરે. જય. તીની દીક્ષા. (તેનું મોક્ષગમન.) ત્યાંથી પ્રભુનું શ્રાવસ્તીનગરીએ ગમન. ત્યાં સુમનભદ્ર ને સુપ્રતિષ નામે બે શ્રાવકે પ્રભુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com