SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ નાની સરખી મુકતે પ્રસ્તાવનાની જરૂર ન હેાય, પરંતુ આ પશ્ચાતુપૂર્વીએ કરેલી ધટના સબંધી બુક લખવાને હેતુ અને તેની કાંઇક જણાવવા માટે લખી છે. શ્રી વીરપ્રભુનું કેવળીઅવસ્થાના ૩૦ વર્ષના વિહારનું વર્ણન અને તેમણે ક્રમસર કરેલા ચોમાસાના સ્થળ વિગેરે સુભેાધિકા તથા શ્રી ત્રિ. શ. પુ. ચરિત્ર વિગેરેમાં લક્ષ્ય ન થવાથી બનતા પ્રયાસ કરીને આ બુકના પ્રારંભમાં તે જણાવવામાં આવ્યા છે. ત્યારપછી છદ્મસ્થાવસ્થાનાં ૧૨૫ વષઁનીચે માસા તથા ઉપસર્ગો વિગેરેની ક્રમસર હકીકત લખવાને વિચાર થતાં તે પણુ લખીને દાખલ કરેલ છે. બાદ ગૃહસ્થપણાના ૩૦ વર્ષોંની પણ કાંઇક ટૂંકી હકીકત લખી હોય તેા શ્રી વીરપ્રભુનું ખેતરે વનુ સક્ષિપ્ત ચરિત્ર ગુથાઈ જાય એમ ધારી તે પણ લખ્યું છે. આમ વિચારને ક્રમ પાછળપાછળના થયેલ હાવાથી એ પ્રમાણે આ મુકમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રમાણે સ ંક્ષિપ્ત ચરિત્ર લખ્યા પછી ટેકટ બહુ નાની લાગવાથી શ્રી મહાવીર પરમાત્માના બે સત્તાવીશ ભવના ને એ પંચકલ્યાણુકના એમ કુલ ચાર મેટા રતવને દાખલ કર્યાં છે. એમાં પ્રથમ સ્તવનની પ્રાંતે પૃષ્ઠ ૫૭, ૫૮ ઉપર શ્રી વીરપ્રભુના ૨૭ ભવનું ટૂંક વર્ણન ક્રમસર બતાવવા માટે લખેલ છે. તેમાં ૧૫ મા તથા ૧૬ મા તેમજ ૨૧ મા અને ૨૨ મા ભવની વચ્ચે વીરપ્રભુએ અસંખ્યાતા ભવા કર્યાનું લખ્યું છે, પરંતુ પાંચમા ને છઠ્ઠા ભવ વચ્ચે અસંખ્યાતા ભા કર્યાં છે તે લખવાનું રહી ગયું છે. પ્રથમ આપેલા ૨૭ ભવના સ્તવનમાં પણ તે હકીકત લાવેલ નથી. પૃષ્ઠ ૪૪ ઉપર વીરપ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલા તપનુ વષઁન આપી એક દર ૧૨ા વર્ષના મેળ મેળવ્યેા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy