________________
૪ ૬૯ ? વાત નિકળી નહતી, તેટલામાં દાસીએ ખબર આપ્યા કે બહાર કઈ લેકો બેઠા છે અને આપને મળવા ચાહે છે.
હું : કેણ છે? ગૃહસ્થ છે કે સંન્યાસી?
દાસી ઃ શું બતાવું? કંઈ સમજમાં આવતું નથી. સાધારણ ગૃહસ્થ તો નથી, પણ સાધુ-સંન્યાસી જેવા પણ નથી માલૂમ પડતા; પણ આદમી કંઈક ઊંચી શ્રેણીના માલુમ પડે છે. આવા આદમી આપણે ત્યાં આવેલા કદિયે જોયા નથી.
હું : ઠીક તે એમને મેકલી આપ.
પહેલાં તે દેવીની ઇરછા ઓરડાની બહાર જવાની થઈ, પણ દાસીએ જે વર્ણન કર્યું તેથી એમનામાં તેમને દેખવાની ઉત્સુકતા પણ પેદા થઈ. એથી તેઓ બેઠાં રહ્યાં.
કુલ આઠ સજ્જન હતા. દેખવાથી જ માલૂમ પડતું હતું કે એ લોકે વિદ્વાન્ હશે, વિચારશીલ હશે. ગૃહસ્થ જેવો વેષ નહે, પણ શ્રમણે યા વૈદિક સાધુઓના જે પણ વેષ નહોતો. યથાસ્થાન બેઠા પછી પરિચય કરવાથી માલુમ પડયું કે એ લેકે એક પ્રકારના રાજગી છે. કોઈ પ્રકારની કઈ બાહ્ય તપસ્યા નથી કરતા. ઘણાં જ સ્વચછ પરિમાર્જિત ઢંગનાં વસ્ત્ર પહેરે છે, પણ એવાં કે જેમનાથી વિલાસ યા વિટત્વ(કામુકતા)ને ભાસ ન થાય. આ જન્મ બ્રહ્મચારી રહે છે. કઈ રાજદરબાર વગેરેમાં કદિ જતા નથી. શાસ્ત્રનું મનન, ચિન્તન કરતા રહે છે. જેમાં પહેલા નંબર પર બેઠા હતા તે સારસ્વતજીએ આ બધે પરિચય આપે. બીજા આદિત્યજીએ કહ્યું કે આ ગણતત્વની બહાર રાજત–માં તેઓ રહે છે. ગણતત્રની સીમાથી દશ ગાઉ દૂર “બ્રહાલેક” નામનું એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com