________________
આઘ ઉદ્દગાર
વધો-સત્યાશ્રમના સ્થાપક શ્રી સત્યભાજનું હિન્દીમાં લખેલું મહાદ જ તત્તર) પુસ્તક, જે લગભગ પોણા ચાર પૃષોનું છે, તેમાં પ્રારંભથી લઈ મહાવીરના “નિષ્ક્રમણ સુધીને ભાગ, જે લગભગ બહેતર પૂછો સુધી છે તેનું આ ગુજરાતી રૂપાન્તર છે, એ પુસ્તકમાં મહાવીરની ડાયરી રૂપે એ મહાપુરુષનું જીવનચિત્રણ છે. ચિત્રણમાં કલ્પનાઓને સંભાર ખૂબ છે. પણ તે અસંગત નહિ, કિન્તુ સુસંગતરૂપે ચમકતે દેખાય છે. મહાવીરજીવનની મૂળ હકીકત જે પ્રાચીન શાસ્ત્રોમાં ઉલિખિત મળે છે, પ્રાયઃ તે બધી લેખકે લીધી છે અને પિતાની પ્રખર પ્રજ્ઞાશક્તિના સુન્દર રંગથી રંગીને મૂકી છે, જે, વૈજ્ઞાનિક અને નવયુગની પરિમાર્જિત બુદ્ધિને ખૂબ રોચક બની જવા સંભવ છે. મહાવીરનું તત્વદર્શન પણ લેખકે બુદ્ધિગ્રાહ્ય યુક્તિવૈભવથી સમૃદ્ધ વિશદ વિસ્તારથી આપ્યું છે. સરળ, સુબોધ રીતે આલેખાયેલું આખું પુસ્તક કાન્તિની પ્રશસ્ત પ્રતિભાથી સમજવલિત દેખાય છે.
ગ્રન્થને પ્રારંભ કરતાં જ વાચક જોઈ શકશે કે “મહાવીરની પત્ની યશોદા હતી” એ સિવાય યશોદા દેવીને માટે એક પણ શબ્દ પુરાણું કે પછીના ગ્રન્થમાં શોધ્યો જડતું નથી, જ્યારે આ પુસ્તકમાં લેખકે મહાવીર અને યશોદા દેવીના સંબંધમાં અને યશોદા દેવીથી કેમ બુદી મળે એની મહાવીરને થતી મથામણમાં ચેસઠ જેટલાં પૂણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com