SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮ ) ગૃહીમાં હતું. મહાવીરસ્વામીના સમયમાં મગધરાજ બિંબિ-- સરપણ રાજગૃહી નગરમાં રાજય કરતા હતા પણ આ રાજ ગૃહીએ જુદી જણાય છે. બિંબિસારની રાજધાની રાજગૃહીત. એના પિતા પ્રસેનજીત રાજાએ વસાવી હતી. પ્રસેનજીત રાજા સુધી મગધના રાજાઓની રાજધાની કુશાગ્રપુર ગણાતી હતી. એમાં આગનો ઉપદ્રવ વારંવાર થવાથી મગધરાજ પ્રસેનજીતરાજાએ નવીન નગરી વસાવી એનું જ નામ રાજગૃહી રાખ્યું. પ્રસેનછતને શ્રેણિકકુમાર વગેરે સે કુમાર હતા. એમાં શ્રેણિક ગાદી. ઉપર આવ્યું. શ્રેણિક પ્રથમ બુદ્ધના સમાગમમાં આવવાથીબદ્ધ થયેલ પણ અનાથી મુનિના દર્શનથી તેમજ ચિલ્લણના પ્રયત્નથી શુદ્ધ જેન થયો. એવામાં શ્રીમન વીરપ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ને તે રાજગૃહી સમવસર્યા. મગધરાજ શ્રેણિક એમને અનન્ય ભક્ત થયે. માળવાને રાજા ચંદ્રપ્રદ્યોત એમનો અવિરતિ શ્રાવક હતો વત્સ દેશની કેશાંબીનો રાજા શતાનિક અને એને પુત્ર ઉદયન, સિંધુ સવિરદેશના વિત્તભયનગરના રાજા ઉદાયી. દશાર્ણ દેશનો દશાર્ણભદ્ર વિશાળનગરીને ચેટકરાજા, કાશી અને કોશલદેશ (અયોધ્યા) ના રાજાઓ ક્ષત્રીયકુંડને નંદિવર્ધનરાજા પોલાશપુરને વિજયરાજા, પિતનપુરને પ્રસન્નચંદ્ર હિમાલયની ઉત્તરે પૃષ્ટ ચંપાના શાળને મહાશાળ કનકપુરને પ્રિયચંદ, મહાપુરીનગરને બલરાજા, અને ચંપાનગરને દત્તરાજ આદિ જેન રાજાઓ એમના ભક્ત હતા. શ્રેણિકના અભયકુમાર, મેઘકુમાર, હઠ્ઠ નેવિહ@કુમાર, નંદિકુમાર આદિ કુમારે એ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy