SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) કરી અહિંસા તરફ પોતાનું લક્ષ્ય કેળવ્યું. આ અમુલ્ય તકનો બદ્ધાચાયે એને અનુકુળ ઉપદેશ આપીને ઉપયોગ કર્યો. રાજા બિદ્ધ થયે. ઉપગુણાચાર્યને અનન્ય ભક્ત થયા. બદ્ધાચાર્ય ઉપગુપ્ત પ્રતિદિવસ સમાની રાજ્યસભામાં આવીને ધર્મોપદેશ કરતો. મહારાજને અનુકુળ ઉપદેશ આપીને રાજાને બૈદ્ધધર્મમાં એવા તો ચુસ્ત બનાવ્યું કે એને દેશપરદેશ ધર્મોપદેશ કરવાને ધર્મોપદેશકો મોકલવાનો વિચાર થયે. એજ ઉપગુપ્તની જગાએ આજે નંદન હતે. એક દિવસ રાજ્યસભામાં સમ્રાર્ની નજીક સિંહાસન ઉપર પોતાના શિષ્યથી પરવરેલા નંદનાચાર્ય ધર્મસંબંધી ચર્ચા કરતો બેઠે હતો. ધર્મને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા એનું બૈદ્ધગુરૂ પિતાની બુદ્ધિ અનુસાર સમાધાન કરતા પોતાના ધર્મની રાજ્યસભા ઉપર છાપ પાડી રહ્યો હતો. સર્વજ્ઞ બુદ્ધદેવનાં વખાણ કરી એના તરફ સકલ સભાનાં ચિત્ત આકર્ષવા પ્રયત્ન કરી રહ્યો હતો. મહારાજ? ભગવાન બુદ્ધની જન્મ નગરી કપિલ વસ્તુ હિમાલયની તળેટી પાસે આવેલી એની આપે અવશ્ય યાત્રા કરવી જોઈએ”નંદનાચાર્યે વાતવાતમાં જણાવ્યું. એ કપિલ વસ્તુને તો પ્રાદય નાશ થયો છેને વારૂ?” રાજાએ પૂછ્યું. હા? આપનું કથન સત્ય છે. છતાં ભગવનનાં જ્યાં ચરણ સ્પર્શ થયાં હોય એવી ભૂમિ પણ વંદન કરવા ગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy