SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) સાંભળનાર તે સમયનો પ્રખ્યાત દ્વાચાર્ય નંદનાચાર્ય હતો. ઉપગુપ્તના ઉપદેશથી–એના અહિંસાના તત્વથી મહાન અશેકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી એની રાણીએ પણ બાર ગુરૂની અનન્ય ભકતા બની હતી. ઉપગુખતની જગા અત્યારે નંદન નામના ભિક્ષુના હાથમાં હતી. કંઈક વિચાર સ્ફરતાં પટ્ટરાણી તિષ્યરક્ષિતા પોતાના ગુરૂ નંદનાચાર્ય સાથે ખાનગી મસલત કરવાને બોધ મઠમાં આવી હતી. એની સાથે એની પાંચ સાત દાસીઓ હતી, ગુરૂને વંદન કરી બેઠા પછી છેવટે એણે ગુરૂ પાસેથી રાજમાતા થવાને આશિર્વાદ ઈચ્છો. અત્યારે બૈદ્ધાચાર્ય એકાંતમાં બેઠેલા હતા. એમના શિષ્ય બહાર અભ્યાસ કરતા હતા. જેથી અવસર સાધીને રાણનું વચન સાંભળીને નંદનનું હૃદય ચમકયું છતાં એણે ગંભિરતાથી રાણુજીને કહ્યું. તે રાણીજી! એમાં શું નવાઈ છે જેવાં અત્યારે તમે મહારાજનાં માનિતાં છે તેવી જ રીતે એક દિવસ રાજમાતા પણ અવશ્ય થઈ શકશે !” કે “આપ શા ઉપરથી એમ કહો છો? આપને ખબર છે મહારાજે યુવરાજ પદવી તો પેલા કુણાલને આપી રાજ્યને. વારસ તો એને ઠરાવ્યાં છે”. . ' ' . . : : - તેથી શું ? એ તો કાળ કેળનું કામ કરી રહ્યો છે. ભવિષ્યની વાત આપણે અપ બુદ્ધિવાળા મનુષ્ય શું સમજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy