SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) આ અધમ સ્ત્રીએ ઘણું કોશિષ કરી જોઈ પણ વ્યર્થ? મહારાજ સમજી ગયા હતા કે આ સ્વાર્થોધ સ્ત્રી ક્યારે શું કરશે એ કહી શકાય એમ નહોતું. જેથી એના કહેવા ઉપર પુરતું ધ્યાન નહીં આપતાં. પિતાનાં આત માણ સાથે એને રવાને કર્યો. તે અંતરમાં ગુસ્સાથી ફફડતી અને નાસીપાસ થયેલી કુટિલ તિરક્ષિતા હાથ ઘસતી રહી ગઈ, નજીવી ભૂલથી એ બચી ગયે એ માટે એના નિર્દય હૈયામાં પસ્તાવો થયે, છતાં એ નાહિમત થઈ નહીં કેઈ વખતે જે તક મલશે તો એને બરાબર ઉપયોગ કરી આ વૃદ્ધિ પામતે કાંટે જડમૂળથી ઉખેડી નાંખી પોતાના મહેન્દ્ર માટે આ વિશાળ રાજ્યમાર્ગ ભવિષ્યને માટે સાફ કરવો એ તેને નિશ્ચય હતો. જ્યારે જ્યારે એ મહેંદ્રને જોતો ત્યારે એ જુઓ ઉભરાઈ જતો તે મરનાર શેને મનમાં અનેક કદુવાઓ આપતો. આવા પરિવર્તનથી એનો સ્વભાવ ચીડીયે થઈ ગયે હતો. એ ચિતાના આવેશથી કોઈ કાર્ય ઉપર રાણીનું ચિત્ત લાગતું નહીં. મહારાજ અશોકની પટ્ટરાણું છતાં એની આશાઓ –વાસનાઓ એને અધમ માર્ગ તરફ ઘસડી જઈ નીચ કાર્ય કરવાને પ્રેરી રહી હતી. અનેક દાસ, દાસી, અખુટ વૈભવ છતાં એના હૈયામાં આગ સળગતી હતી. એ આગથી એનું હૈયું ધગધગી રહ્યું હતું. એટલું જ નહીં પણ એ આગમાં બિચારાં નિરપરાધી દાસ દાસી હોમાતાં હતાં. જગતમાં સામાન્ય રીતે એ નિયમ હોય છે કે મોટા માણસને ગરીબ માણસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy