SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧પર) આજ્ઞાથી ધન નામના ધનાઢ્યના ઘરમાં ભીક્ષાને માટે ગયા. એ બને મુનિઓને જોઈ ધન સાર્થવાહ એકદમ ઉભું થઈ ગયો. બહુ માનથી હાથ જોડતે વચનથી એમની સ્તુતિ કરતો એમના સાધુધર્મની અનુમોદન કરતો જેનાં મરાય ભક્તિથી વિકસ્વર થયાં છે એ ભક્તિપૂર્વક તે નપે. ત્યાર પછી એ ધનાએ પિતાની સ્ત્રી પાસે સિંહ કેશરીયા મેદક તથા બીજી કેટલીક ખાવાની ઉત્તમ ઉત્તમ વાનીઓ મંગાવી બન્ને મુનિઓને મુનિઓની ના મરજી છતાં ભક્તિથી વહરાવી. બન્ને સ્ત્રીપુરૂષે ભાવ પૂર્વક મુનિઓને ખાદ્ય વસ્તુ એથી પ્રતિભાભી એમની ભક્તિ કરી. વારંવાર પિતાની પડી ચરણરજથી પાવન કરી પિતાને ઉદ્ધાર કરવાની કૃપા કરવા વિનતિ કરી, એ ભક્તિના બદલામાં “ધર્મ લાભ” એવો અપૂર્વ મહામંત્ર આપીને એ બન્ને મહામુનિએ ત્યાંથી નીકળ્યા. મુનિઓ ઉપરની ધન સાર્થવાહની ભક્તિ પેલો રાંકો જોઈ રહ્યો હતો, પિતાને લાકડીઓ અને ગાળેનું દાન કરનારા આ ધન ધનાઢ્યની ભક્તિથી દાન આપવાની કિયા તેમજ મુનિઓની દાન લેવાની વિધિથી તે તાજુબ થયો. “ઓહ ? જગતમાં ખરેખર આ સાધુઓને ધન્ય છે કે જેઓ ને આવા ધનવાને પણ દેવતાની માફક નમે છે. તેથી જ એમનું જીવીત કૃતાર્થ છે. એમનું ભિક્ષા વૃત્તિપણું પણ સ્વગથીય અધિક છે કે જેમને અમૃતથી પણ અધિક ને મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy