SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર શાંતિ. સ. ૨૦૦ થી ક. ૨૯૮ સુધી પરાશર અને જનકને સંવાદ છે, જેમાં કર્મોની ગહન ગતિ વિશે અહિંસાધર્મની શ્રેષ્ઠતા વિશે, અગ્નિહેત્રને ત્યાગ કરવાપૂર્વક સંન્યાસ સર્વોત્તમ–મેક્ષદાયક છે ઈ. ઉપદેશ છે. જિન “લેશ્યા' જેવા અર્થમાં “વર્ણ' ને ઉલ્લેખ સ. ૨૯૨માં છે બૌદ્ધોની જેમ વધુ પડતા તપને નિષેધ પણ છે. (“લેશ્યા' ના વિભાગમાં આ પુસ્તકમાં જુઓ). ૫ શાંતિ. સ. ૩૦૨ થી અ. ૩૦૮ સુધી વસિષ્ઠ અને કરાલ નામના જનકને સંવાદ છે તેમાં યોગ અને સાંખ્યને ઉપદેશ આપતાં સ. ૩૦૭ માં સાંખ્યનું છવીસમું તત્ત્વ “બુદ્ધ' (પરમાત્માના અર્થમાં) લેક ૭ મામાં કહ્યું છે. આગળ ચાલતાં એના અનુસંધાનમાં સ. ૩૦૮ માં “બુદ્ધ' (પરમાત્મા) અને “બુધ્યમાન (જીવ) વિશે કથન છે. આ બુદ્ધ' નું વર્ણન આ પ્રમાણે છે: षड्विंश विमलं बुद्धमप्रमेयं सनातनम् । सततं पञ्चविंशं च चतुर्विंश च बुध्यते ॥ शां. ३०८-७ (અ) છવ્વીસમું બુદ્ધ વિમલ, અપ્રમેય તથા સનાતન છે. એ પચીશમા (બુધ્યમાન =જીવ) અને ચાવીશમાં (પ્રકૃતિ) ને સતત જાણે છે. * આગળ ચાલતાં શાતિ. ૪. ૩૧૦ થી ક. ૩૧૮ સુધી યાજ્ઞવલ્કય ૫. આગળ જાતકકથામાં જનકવંશ જેનાથી સમાપ્ત થયો તે કળાર જનક અને આ કરાલ જનક વચ્ચે નામનું સામ્ય છે તે સેંધપાત્ર છે. (જુઓ પૃ. ૭૫) ૬. મ.ભા.માં અન્યત્ર પણ “જ્ઞાની'ના અર્થમાં “બુદ્ધ અને પ્રતિબુદ્ધ વિશે આવે છે. (શાતિ. ૧૯૪-૫૯,૩૪૩–૫૩અનુ.૧૪૩૧૫ ઈ) મજા. કથિત બુદ્ધ', બૌદ્ધોના બુધ ("શાયસુનિ” તથા “જ્ઞાની” બન્ને અર્થમા) અને જૈનમાં જ્ઞાનીતથા “તીર્થકર આ બે અર્થમાં વપરાયેલ “બુદ્ધ એ શબ્દો એકજ સર્વસામાન્ય વિચારસરણીનાં પ્રતીકે ગણાય. આવું સામ્ય જણાવતા બીજા અને શક્યું છે, પણ એ સર્વ નિદેશ અહીં થઈ શકે એમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy