SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ! લબ્ધિ સ્વરૂપ. ૩૨૫ જંઘાચારણ લખિને એ પ્રભાવ છે કે, સૂર્યનાં કિરણ નીશ્રાએ કરી, તેને અવલંબીને એકજ ઉત્પાત (ફલંગ) ઉપી, ચારિત્રના અધિકપણાથી યાવત તેરમા રૂચકવરદ્વીપ સુધી તી છ જવાને સમર્થ થાય છે, અને વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે. વિદ્યાચારણે પણ સૂર્યના કિરણેનું અવલંબન કરીને જ જાય છે. જઘાચારણ મુનિઓ એકજ ઉત્પાતે રૂચ વર દ્વીપે જાય છે, પાછા ફરતાં એક ઉત્પાતે નંદીવર નામના આઠમા દ્વીપે આવે છે, ત્યાં વિ ામે લેઈને બીજા ઉત્પાતે પોતાના સ્થાનકે પાછા આવે છે આ પ્રમાણે તાછ ગતિના ત્રણ ઉત્પાતેથી તેઓ ગમનાગમન કરે છે. જ્યારે ઉર્ધ્વગતિએ જાય અને પ્રથમ મેરૂની શિખર ઉપર જવા નિકળે, ત્યારે એકજ ઉત્પાતે મેરૂગિરીના પંડકવન પર જઈ ચઢે, અને પાછા ફરતાં એક ઉત્પાતે નંદનવન આવે, અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. જઘાચારણ મુનિઓને ચારિત્રાતિશયના પ્રભાવથી લબ્ધિના ઉપજવાને લીધે હર્ષ ઉત્પન્ન થવાથી પ્રમાદને સંભવ થાય છે, તેથી ચારિત્રાશયનું બંધન થઈને તેમની લબ્ધિની કાંઈક ન્યૂનતા થાય છે, તેથી પાછા ફરતાં બે ઉત્પાદે કરીને પિતાના સ્થાનકે આવે છે, તથા બીજ ઉત્પાદે નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં જઈને ચૈત્યવંદન કરે છે, ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. તથા ઉર્ધ્વગતિયે મેરની ઊપર જતાં પણું પ્રથમ ઉત્પાતેજ નંદનવન જાય છેબીજા ઉત્પાતે પંડકવન જાય છે. ત્યાં ચિત્યને વંદના કરીને ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. વિદ્યાચારણને વિદ્યાના વશથી તે સર્વ થાય છે. તે વિદ્યાના વારંવાર સેવનથી વિદ્યા શેખી થાય છે. ઈહાંથી જતાં એક વિશ્રાંતી લે છે, પણ પાછા ફરતાં ૧ આકાશમાગે ગમન કરે છે. આર્કિંપ ઘણાજ દૂર છે, જેનું વર્ણન શાસ્ત્રમાં છે. ૨ મેરૂગિરી લાખાજન ઉચે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy