SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ] પાંચમા મહાવતની ભાવના. ૩૧૫ પાંચમી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રી, પશુ, તથા નપુશકથી ઘેરાયેલ શમ્યા તથા આસન ન સેવવાં. કેમકે કેવળી કહે છે કે તેવી શય્યા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિગ્રંથ ી પશુ પંડકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં એ પાંચમી ભાવના, (૧૮૬૦) એ રીતે મહાવ્રત કાયાયે કરી સ્પેશિત તથા યાવત્ આરાધિત થાય છે. એ ચોથું મહાવ્રત. (૧૦૬૧) પાંચમુ મહાવ્રત–સર્વ પરિગ્રહ તજું છું. એટલે કે ડું કે ઘણું, નાનું કે મેટું, સચિત કે અચિત, હું પોતે લેઉં નહિ, બીજાને લેવરાવું નહિં અને લેવાનું અનુમત કરૂં નહિં; યાવત તેવા સ્વભાવને સરાવું છું. (૧૦૬૨), તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૬૩) ત્યાં પહેલી ભાવના એ કે કાનથી જીવે ભલા ભુંડા શબ્દ સાંભળતાં, તેમાં આસકત, રકત, વૃદ્ધ, મહિત, તલ્લીન, કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી શાંતિ તથા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થવાય છે. (૧૦૬૪) કાને શબ્દ પડતાં તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૫) એમ કાનથી જીવે ભલા ભુંડા શબ્દ સાંભળી રાગ દ્વેષ ન કરો એ પહેલી ભાવના (૧૯૬૬). બીજી ભાવના એ કે ચક્ષુથી જીવે ભલા ભુંડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૯૬૭) આંખે રૂપ પડતાં તે, અટકાવાય ના કદિ. કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૮) એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડા રૂપ દેખી રાગ દ્વેષ ન કર, એ બીજી ભાવના. (૧૯૬૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy