SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ થ૦૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ બીજાની થતી નથી.” પ્રભુએ કહ્યું કે, “આ તમારી શંકા ખરી નથી. વેદના જે પદે ઉપરથી તમને શંકા ઉદ્દભવ પામી છે તે પદે આ પ્રમાણે છે.” પુરે છે પુરવમરનુ, vજ્ઞા vશુર્વ ” ઈત્યાદિ પદો ભવાંતરનું સાદસ્ય પણું સૂચવનારાં છે, તથા “TIો છે પણ ગાયત્તે ચા રહ્યતે” ઈત્યાદિ પદે તે વળી ભવાંતરમાં સાદસ્થપણું દેખાડનારાં નથી. એમ માની તમને શંકા પેદા થએલી છે. પણ એ પદને ખરે અર્થ આ પ્રમાણે છે. પ્રથમ જે પદ ઉપર જણાવ્યું તેને અર્થ એ છે કે, માર્દવ આદિક ગુણએ કરીને યુકત હોય,તે મનુષ્ય પુનઃ મનુષ્યપણનું આયુષ્ય બાંધી, પછે પણ મનુષ્યપણાને પામી શકે, એ અર્થનિરૂપણ કરનારાં તે વાયો છે. પણ મનુષ્ય તે મનુષ્યજ થાય એ નિશ્ચય બતાવનારાં તે વાક નથી. વળી તમારા મનમાં એવી એક યુક્તિ ઠસેલી છે કે, મનુષ્ય કેવી રીતે પશુ થઈ શકે? કેમકે ડાંગર (ચેખા) ના દાણું વાવવાથી કાંઈ ઘણું પેદા થતા નથી. પણ તે યુકિત બરાબર નથી; કારણ કે છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ થાય છે, તેથી એવી રીતે સાદેશ્ય પણું ઘટી શકતું નથી. જેવી રીતે સરળતા આદિક ગુણે વડે મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે છે, અને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થાય છે, તેમ માયા કપટ વિગેરે ગુણેમાં પચી રહેલે જીવ અહીં પથરૂપે જીવીત ગુજારે છે, અને આગામી ભવ સંબંધી પશુનું આયુષ્ય બાંધી, પશુની જાતિમાં ઉત્પન્ન થાય છે. તેથી જીવની પૃથક પૃથક ગતિમાં ઉત્પતિ કર્મને આધિન છે, અને તેથીજ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. હં. મેશાં કારણને મળતુજ કાર્ય થવું જોઈએ એ કાંઈ ચોકકસ (એકાંત) નિયમ નથી. ઈંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે. પ્રભુના આ પ્રમાણેના ખુલાસાથી તેમના મનનું સમાધાન થયું, અને તેમણે પણ પાંચસે શિષ્ય સહિત દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy