SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ] ઉન્નતિને કમ. ૨૦૩ ભવિષ્યમાં ઘણું ઉપસર્ગ થવાના છે તે પણ મરણાંત ઉપસર્ગના પ્રસંગે તે ઉપસર્ગ અટકાવવા તથા વૈયાવચ્ચ કરવા, પ્રભુની મા સીના પુત્ર જે બાલપણથી વ્યંતરની કાયમાં દેવ૫ણે ઉત્પન્ન થએલ છે, તે સિદ્ધાર્થ વ્યંતર દેવને આજ્ઞા કરી શકેંદ્ર સ્વસ્થાનકે ગયા. પ્રભુએ આપેલે ઉત્તર બહુ મનન કરવા અને વિચારવા લાયક છે. કેઈ પણ પ્રકારની ઉન્નતિની ઇચ્છાવાળા કેવલ પોતાના બળ અને પરાક્રમથીજ-ઉન્નતિ પ્રગતિમાં આગલ વધી શકે. જે પ્રમાણે એ નિયમ એક વ્યક્તિને લાગુ પડે છે, તેજ પ્રમાણે સકલ સમષ્ટિને, એક સામાન્ય નહાન દેશને કે આખા રાષ્ટ્રને લાગુ પડે છે, જે વ્યક્તિ કે સમષ્ટિવાદેશ અથવા રાજ્ય પારકા ઉપર આધાર રાખનાર હોય,તેઓ કદી પણ પોતાની ઉન્નતિ કરી શકવાના નથી. પારકા ઉપર આધાર રાખી ઉન્નતિ ઉચ્છવી એ એક જાતની નિર્બળતા છે. શું નિબળ પિતાને કે પરને કદી પણ ઉદ્ધાર કરવાને સર્મથ થયા છે કે થશે? પ્રભુએ આપેલા આ મંત્રના ઉપર અ પણે પૂર્ણ શ્રદ્ધા રાખી, તેનું આલંબન લઈશું તેજ આપણે કાંઈ અંશે આ ભવમાં ઉન્નતિ ક્રમમાં આગળ વધી શકીશું, એટલું જ નહીં પણ એ મંત્રના સરકાર જે આત્મામાં દઢ થયા હશે, તેજ આગામી ભવમાં આપણે આપણું પ્રગતિ કરી, પરિણામે પ્રભુએ જે પ્રમાણે લકત્તર સ્વરાજ્યની પ્રાપ્તિ કરી, તેજ પ્રમાણે આપણે પણ લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું અંતરંગ શત્રુઓને જીતવાને બીજાની સહાય શું કામ લાગવાની છે તેને તે પિતે જાતે જ પિતાના બળ પરાક્રમથી જીતવાના છે. કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિને અટકાવનાર અંતરંગ શત્રુઓ છે. તેઓને બરાબર ઓળખવા જોઈએ. તેઓએ અનાદિકાળથી પોતાની સત્તા આપણું ઉપર જમાવી આપણને પરવશ બનાવી દીધા છે. તેમને જીતવા એ કંઈ સહેજ વાત નથી. જ્યારે આપણે પિતાનું અને તેમનું યથાર્થ સ્વરૂપ સમજી, તેમને જિતવાને ભગવંતની પેઠે પુરૂષાર્થ કરીશું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy