SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ ૭ લેભ-કષાય મેહનીય કર્મના ઉદયથી સત્કાર પુરસ્કાર પરિસહ થાય છે. વેદનીય કર્મના ઉદયથી નિચે પ્રમાણે અગીયાર પરિસહન ઉદય થાય છે. ૧ સુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉણ, ૫ દંશ, ૬ ચર્યા, ૭ શૈય્યા, ૮ મલ, ૯ વધ, ૧૦ રેગ, ૧૧ તૃણસ્પર્શ. ઉપર પ્રમાણે જ્ઞાનાવરણીય, કર્મના ઉદયથી બે, વેદની કર્મના ઉદયથી અગીઆર મેહનીય કર્મના ઉદયથી આઠ અને અંતરાય કર્મના ઉદયથી એક મળી બાવીસ પરિસહ જીવને ભેગવવા પડે છે. શેષ કર્મોને વિષે પરિસહને સંભવ નથી. જ્ઞાનાવરણીય, મેહનીય, અને અંતરાય કર્મ એ ઘાતિ કર્મ પૈકીના છે, અને વેદનીય કર્મ અઘાતિકર્મ છે; એટલે ઘાતિકર્મના અંગે થનારા પરિસહ કેવળ જ્ઞાનીઓને ઉપદ્રવ કરી શકે નહી. પણ વેદની કર્મ તે તેમને પણ ઉપસર્ગ કરી શકે. ગુણસ્થાનની અપેક્ષાએ બાદરસંપરાય નામના નવમા ગુણસ્થાનકની હદે પહોંચતા સુધી બાવીસ પરિસહ હોઈ શકે. દશમા સૂક્ષ્મ સંપાયના ગુણસ્થાનકની હદ સુધી મેહની કમની સત્તા રહે છે, તેથી દર્શન અને ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી થનારા ઊપસર્ગને ઉદય ત્યાં સુધી હોઈ શકે. બાકીના ચૌદને ઉદય અગીઆરમા ઉપશાંત મેહ અને બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનક સુધી હોઈ શકે. એ ચૌદ પૈકી વેદની કર્મને અંગે થનારા અગીઆર પરિસહ તે તેરમા સગી અને ચૌદમા અગી ગુણસ્થાનક સુધી હોઈ શકે. (જુઓ નવતત્વ બાલા બોધ ગાથા ૨૭-૨૮ નું વિવેચન). આત્મિક ઉન્નતિની સાધનાના પ્રસંગે ઉપરના પરિસો પૈકી કઈને કઈ પરિસહ આવવાનો સંભવ છે. પ્રતિકૂળ ઊપસર્ગોને તે ભાસ થવાને સંભવ છે, પણ કેટલાક મીઠા અને અનુકૂળ ઉપસર્ગોએ ઉપસર્ગ રૂપે આત્મામાં ઉદય પામ્યા છે, એને ભાસ તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy