SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૫ વાલ-આહાર લે નહી, પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિ, અને ભુખની વેદનાથી આર્તધ્યાન પણ કરે નહી, પરંતુ શુભ પરિણામથી સુધાની વેદના સહન કરે. આ પ્રમાણે સમભાવથી ભૂખ સહન કરવી અને શાંતિમાં રહેવું એ અત્યંત કઠીન છે, તેશી સર્વ પરિસહેમાં તેને પહેલા પરિસહ તરીકે ગણવામાં આવેલ છે. - ૨ તૃષા પરિસ–પ્રાસુક-નિર્દોષ જળના અભાવે તૃષાયે વ્યાકુળ છતાં પણ અનેષણય શીતળ જલાદિકની વાંછા પણ કરવી નહિ, અને તૃષાની પીડા સમભાવથી સહન કરવી તેને તૃષા પરિસહ કહે છે. - ૩ શીત પરિસહ–શીતકાળમાં અત્યંત હાડ પડે તે વખતે, કલ્પનીય વાના અભાવે ગૃહાદિકે રહિત છતાં પણ, અકલ્પનીય વસ્ત્રની વાંછા કરે નહી, તેમ પોતે અગ્નિ પ્રદીપ્ત કરી તાપે નહિ, તેમજ બીજાએ પ્રદિપ્ત કરેલા અગ્નિથી પણ તાપે નહી, અને અલ્પ જીર્ણ વસ્ત્રથી સમ્યક્ પરિણામે શીત સહન કરે તેને શીત પરિસહ કહે છે. ૪ ઉષ્ણુ પરિસહ-ઉષ્ણ કાળને વિષે મધ્યાન્હ સમયે સૂર્ય માથે આવે તે વખતે અતિશય ગરમીથી ભૂમિ તપી જાય છે, તેવા સમયે તસ શીલા ઉપર રહી આતાપના લેતાં, અથવા તપેલી ભૂમિમાં વિહાર કરતાં અત્યંત આતાપના થાય, પણ છત્રની કિંવા લુગડાની છાયાની તથા વિંઝણા પ્રમુખના પવનની ઈચ્છા પણ કરે નહિ. તેમજ શીતળ જળાદિકના નાન, વિલેપનાદિકની પણ ઈચ્છા કરે નહિ, અને સમ્યફ પ્રકારે ચઢતા શુભ પરિણામે આતાપના સહન કરે તેને ઉષ્ણુ પરિસહ કહે છે. પ દંશ પરિસહ-ડાંસ, મછર, જૂ, માંકડ, જમેલાદિ ક્ષુદ્ર જીવે જેવી રીતે સંગ્રામમાં શત્રુઓ બાણુને પ્રહાર કરે, તેવી રીતે તીર્ણ ડંખ મારે, તે પણ તે ઉપદ્રવથી તે રસ્થાનક તજીને અન્ય સ્થાનકે જવાની ઈચ્છા કરે નહી, અથવા તેને નિવારવા સારૂ પંખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy