SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ તે માટે, વિવિધ જાતની રમતગમત અને આનંદ આપનારી સા. મગ્રી પુરી પાડી. પ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના શ્રાવક હતા. ધર્મમાં રકત હતા. પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે દશ દિવસ સુધી અરિહંત પ્રભુના મંદિરમાં ઉત્તમ રીતે પૂજા તથા મહત્સવ કરાવ્યા અને લાખ રૂપીઆનું દાન આપ્યું. બારમે દિવસે રાજાએ જ્ઞાતિ, કુટુંબ, સગાઓ અને મિત્રોને નેતરી ઉત્તમ પ્રકારના ભેજન, વસ્ત્રાદિકથી તેમને સત્કાર કરી, તેમના સમક્ષ પ્રભુનું નામ નિશ્ચિત કરવા માટે રાજાએ જણાવ્યું કે, આ પુત્ર ગર્ભમાં આવીને ઉપન્યા ત્યારથી અમે ધન, ધાન્ય, વાહન, પૂજા સત્કારાદિમાં અનેક રીતે વૃદ્ધિ પામ્યા છીએ. જે સામંત રાજાએની સાથે વિગ્રહ હતા, તેઓએ પણ અમારી આજ્ઞા માન્ય કરી, અને વિગ્રહને વિનાશ થયેલ છે. તેથી પ્રથમથી જ અમે નિશ્ચય કરે છે કે જ્યારે આ પુત્રને જન્મ થશે ત્યારે તેમનું “વદ્ધમાન” એવુ ગુચનિષ્પન્ન નામ પાડશું. અમારા મનેર સર્વ રીતે વૃદ્ધિભાવને પામીને સિદ્ધ થયા છે, તેથી આ કુમારનું “શ્રી વહેંમાન” એવું નામ રાખીએ છીએ. પ્રભુ બાળપણથી પૈર્ય, બળ, પરાક્રમવાન હતા. જયારે લગભગ આઠ વર્ષની ઉમરના થયા ત્યારે પિતાની સરખી થના બીજા રાજકુમારે અને ક્ષત્રીય પુત્ર સાથે રમત કરતા. એક વખતે તેઓ સઘળા નગર બહાર ઉદ્યાનમાં રમત ગમત અને ક્રિડા કરે છે. તે સમયે ઈદ્ર મહારાજ પિતાની સભામાં બેઠા છે. પ્રસંગવશાત ભરતક્ષેત્ર તરફ તેમને ઉપગ ગયે, અને અવધિજ્ઞાનના બળથી પ્રભુને ક્રિડા કરતાં જોયા. તેમણે ભક્તિરાગથી પ્રભુના બળ એશ્વર્યાનાં સભા આગળ વખાણ કર્યાં. સભાના દેમાંથી એક મિથ્યાત્વિ દેવને ઈદ્ર મહારાજના તે વચન ઉપર વિશ્વાસ આવે નહી, અને વિચાર કરવા લાગ્યો કે, મનુષ્ય જાતિમાં કેઈ દેવના જે બલવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy