SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દર લખાણ તૈયાર થયા પછી, શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાણ થએલું ન હોય, તથા તેવું થએલું હોય તે તે રહી ન જાય, તેના માટે કાળજીપૂર્વક આ ચરિત્ર તપાસી જવાની સહાય કરેલી છે, તેથી તેમને ઘણે ઉપકાર મહારા ઉપર થયો છે. શ્રીરામવિજય મહારાજે પણ કેટલેક ભાગ તપાસ્ય છે, તેથી તેમને પણ ઉપકાર થયે છે. પાદરાનિવાસી મહારા મિત્ર વકીલ મેહનલાલ હિમચંદ તથા બુહારીનિવાસી ધર્મ રસીક ભાઈ ઝવેરચંદ પનાજી પણ આ ગ્રંથને કેટલોક ભાગ તપાસી ગયા છે; આ બન્ને મિત્રે આ ગ્રંથ લખવાના પ્રસંગે વખતોવખત મને ઉત્સાહ આપતા હતા, તેથી તેમને આભાર માનું છું. રા. ર. વકીલ ઇટાલાલ ઝવેરભાઈ સુતરીયા, બી. એ. એલ, એલ.બી. તથા રા.રા. વામનરાવ આપાજી નિકતે, બી. એ. એલ, એલ, બી; જેઓ ધંધાના અંગે સહચારી છતાં, મને ધંધામાં ઘણી રાહત આપવાને અહોનિશ કાળજીવંત છે, તેઓએ પણ કેટલીક ઉપયેગી સૂચનાઓ કરેલી છે, તેમને પણ આભાર માનું છું. આ ચરિત્રમાં જે જે ગ્રંથમાંથી જરૂર પુરતા ઉતારા કરવામાં આવ્યા છે, તે તે ગ્રંથના પ્રકાશક મહાશયને પણ આભારી છું. આ ગ્રંથમાં શાસ્ત્ર તથાજનાજ્ઞા વિરૂદ્ધ લખાણ ન થાય, તેના માટે બનતી કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞપણના કારણથી તેવી ભુલ રહી ગઈ હોય, તે તે વાંચક મહાશય જણાવવા કૃપા કરી ઉપકાર કરશે, તે તે ભૂલ સુધારવા હું પ્રયત્ન કરીશ. ચિ. લાલચંદે આ ગ્રંથની ભાષા સુધારવા તથા પ્રફે તપાસવામાં અને એકંદર ગ્રંથ બહાર પાડવામાં ઘણી સહાય કરી છે. તેની શરૂવાતની ઉછરતી જીંદગીમાં ભગવંત મહાવીર ચરિત્ર મનન કરી વાંચવામાં, તેના આત્માને ઉંચ પ્રકારના સંસ્કારે પડશે, તે તેથી તેના ભાવિ જીવનમાં ઉત્તમ લાભ થશે; એ કંઈ ઓછો ફાયદો નથી. ભગવંતના ચરિત્રના ઘણા પ્રસંગે એવા છે, કે ગૃહજીવન પણ શાંતિમાં ગુજારવાને, તે એક અમૂલ્ય ઉપદેશકનું કાર્ય કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy