SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૨ એ પાંચ પૈકી પ્રથમના ત્રણ મિથ્યાત્વી જીવની અપેક્ષાએ અજ્ઞાન તરિકે ગણાય છે, તેથી તેમને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રત અજ્ઞાન, અને ૩ વિભગ જ્ઞાન કહે છે. એ ત્રણ ભેદની સાથે જ્ઞાનના એકંદર આઠ ભેદ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન એ બે ભેદ પાડવામાં હેતુ એ જણાય છે કે, જ્ઞાની વસ્તુ-પદાર્થને તેના યથાર્થ સ્વરૂપમાં જાણે છે કેમકે વસ્તુ ના યથાર્થ રવરૂપના બેધને જ જ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાની તેજ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી, તેથી તેને તેવા * પ્રકારના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. સમ્યકત્વવાન જીવને બોધ જ્ઞાનની, અને સમ્યકતવ રહિત મિથ્યાત્વી જીવને બે અજ્ઞાનની કેટીમાં આવે છે અજ્ઞાની જીવ મેહમાં મુંઝાઈ જાય છે, ત્યારે જ્ઞાની સમભાવમાં રહે છે, જેમકે એક જીવને મહાન વ્યાધિ થયે છે, તેના ગે તે ઘણે પીડાય છે, દુખ ભેગવે છે. તે વખતે અજ્ઞાની જીવ થતી પીડાના લીધે ઘણું આક્રંદ કરે છે, બુમ પાડે છે, આંખમાંથી ચોધાર આંસુ પાડે છે, વેદનાના લીધે ઈષ્ટ એવા પદાર્થ તેને અનિષ્ટ લાગે છે, સારવારમાં રહેલા માણસેની ઉપર નજીવી બાબતમાં વારંવાર તપી જઈ તેમને ગાળો પણ આપે છે, ખાવાને માટે વલખાં મારે છે, વ્યા ધિને વધારનાર અપગ્ય પદાર્થનું સેવન કરી વધારે પીડા ભેગવે છે ઇત્યાદિ આચરણથી દુઃખ અને કર્મની પરંપરાને વધારે છે. ત્યારે જ્ઞાની તેવા પ્રકારના દુઃખના પ્રસંગે મનમાં મુંઝાતું નથી. તે વિચાર કરે છે કે મને જે વ્યાધિ થયો છે, તેને હેતુ મહારા જીવે પુર્વે કરેલા પાપ-અશુભકમં–ને આ વિપાકેદય યાને ફલ છે. મેં કરેલા કર્મનું ફલ મહારેજ ભેગવવાનું છે. તે ભેગવ્યા શીવાય મહારે છુટકે જ નથી. જે આ દુઃખને હું સમભાવથી નહી ભોગવું અને આક્રંદ કરીશ તે તેથી એ દુઃખને મહારા ઊપર દયા આવવાની નથી, કે તે પોતાનું ફળ ચખાડયા શીવાય જવાનું નથી, તે પછી મહારે તેની પીડા સમભાવથી સહન કરવી જ જોઈએ; આવા વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy