________________
Y
શ્રી મહાવીરસ્વામે ચરિત્ર. [ પ્રકરણ ૮ રાણી છે. તે સ્વભાવથી નિર્મળ, માયાથી અકલંકિત, સરળ સ્વભાવવાળી છે. તે દેવી હાલ દેવગે કન્યાના ગર્ભવાળી છે. તેથી મારે તેના અને દેવાનંદાના ગર્ભને અદલ બદલ કરવ ઘટીત છે.
એ પ્રમાણે વિચાર કરી પોતાના પાયદલ કટકને ઉપરી હરણી ગમેષી નામને દેવ છે, તેને પિતાની પાસે બોલાવ્યું, અને ભગવંતના સંબંધે પિતાને આસાર શું છે, પિતે શું કરવાની ઈચ્છા રાખે છે, તે જણાવ્યું અને આજ્ઞા કરી કે –
હે દેવને પ્રીય! નિચે જે વાત કઈ દીવસ બની નથી, બનતી નથી કે બનવાની નથી એવી વાત વર્તમાનમાં બની છે. અનન્તિ ઉત્સપિણી, અને અવસર્પિણીઓએ કઈ કઈ બનાવ જગતમાં અવનવા એવા બને છે કે પુર્વે કઈ કાળે બનેલા હોય નહિ. શ્રી અરિહંતાદિક શલાકા પુરૂષે અંત પ્રાંતાદિક નીચ કુલમાં કેઈ વખત આવે નહીં અને આશ્ચર્યકારક રીતે કદી આવે તે તેમને જન્મ નિચે તે કુલમાં તો થાય જ નહીં. - ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના અંતિમ તીર્થકર મહાવીરસ્વામી બ્રાહ્મણકુડ ગામે રૂષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુક્ષીએ ઉપન્યા છે.
અતીત, અનાગત, અને વર્તમાન કાલે જે વારે જે ઈદ્ર હોય તેને એ આચાર છે કે શ્રી અરિહંતાદિક જે નિચ કુલમાં આવી ઉપજે, તે તેને ઉગ્રાદિક ઉંચકુલમાં લઈ જઈ સ્થાપન કરવા માટે તેમે જાવ અને ભગવંત શ્રી મહાવીરને ત્યાંથી અપહરી, ક્ષત્રીય કુંડનગરના શ્રી સિદ્ધાર્થ ક્ષત્રી રાજાની ભાર્યા સતી ત્રીશલા રાણીના ગર્ભમાં કન્યા છે તેમને અપહરીને ત્યાં પધરાવે, અને તે કન્યાને દેવાનંદાની કુક્ષીમાં મુકે.
હરણી ગમેલી દેવે ઈદ્રની આજ્ઞા, હર્ષપૂર્વક બે હાથ જોડ વિનય સહિત અંગીકાર કરી, ઈદ્રમહારાજને પ્રણામ કરી, તેમની રજા લઈ નીકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com