SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ દીક્ષાના ભેદો. દીક્ષા માટે જૈન શાસ્ત્ર અને હિન્દુ શાસ્રા શુ કહે છે ? જૈન શાસ્ત્ર આઠ વર્ષના ક્ષુલ્લક અને ક્ષુલ્લિકાઓને દીક્ષા દેવા સમતિ આપે છે. તેમજ હિન્દુ શાસ્ત્ર આઠ વર્ષીના બટુક માટે પણ સંમતિ દર્શાવે છે પરંતુ સ્ત્રીએ માટે સંન્યાસ લેવાની મના કરે છે, અને કલિકાલમાં આતુર સંન્યાસ સીવાય બીજા પ્રકારના સન્યાસ લેવાની પણ મના કરે છે. આતુર સંન્યાસ એટલે મૃત્યુશય્યામાં પડેલાને, જેના બચાવની આશા નથી તેવા બ્રાહ્મણને સંન્યાસ આપવા. તેમાંથી કદાચ કોઇ ખચી જાય તે ભલે માગી ખાય પણ ધણા અંશે એવા ખચતા નથી. છતાં લાખાની સંખ્યામાં બાવા ભાવીએ જોવામાં આવે છે. ખાલ દીક્ષિતે પણ એછા દેખાતા નથી. દીક્ષાના ભેદા. હિન્દુ શાસ્ત્રામાં પાંચ પ્રકારની દીક્ષા કહી છે. (૧) સંક્ષેપ દીક્ષા. (ર) પંચાયતની દીક્ષા. (૩) યજ્ઞ દીક્ષા. (૪) મંત્ર દીક્ષા. (૫) મહા દીક્ષા. તંત્ર શાસ્ત્રોમાં અગત્ય સંહિતા, યેાગિની તંત્ર, ગૌતમી સ્મૃતિ, યેાગિની હૃદ્ય, કલાણ્વ, વિષ્ણુયામલ, સમયાચાર તંત્ર, ત ંત્રસાર, કાશીખંડ, દુગાઁદાસ, સિદ્ધિયામલ, શારદાતિલક, માલિનીવિજય આદિ ગ્રંથામાં દીક્ષાના વિષય અને ભેદો દર્શાવેલા છે. હેમચંદ્રાચાય પણ દીક્ષાના અથ વ્રતસંગ્રહ કરે છે. માટે જૈનદીક્ષા સંબંધમાં પણ ઉપર પ્રમાણે પાંચ ભેદો કલ્પી શકાય અને શાસ્ત્રાનુકૂલ ગણી શકાય તેમ છે. (૧) ભાગવતી દીક્ષા. (૨) વ્રતસંગ્રહ દીક્ષા. (૩) મહાવ્રત સંગ્રહ દીક્ષા, (૪) મંત્ર દીક્ષા. (૫) જ્ઞાન દીક્ષા. ભગવાનના ધમ આદરવે એજ ખરી ભાગવતી દીક્ષા કહી શકાય. ગાર્હસ્થના નિયમેા પાળવા એ વ્રતસંગ્રહ દીક્ષા ગણાય. સંપૂર્ણ રીતે ત્યાગમાગ આદરવા એ મહાવ્રત દીક્ષા અને પછી ગુરૂ ચેાઞ શિષ્ય જાણી કેટલીક ચમત્કારીક સિદ્ધિઓ આપી પ્રાભાવિકતા અપે એ મંત્રદીક્ષા. અને લબ્ધિ વડે (સાયન્સમાં) ગુરૂ શિષ્યને સર્વ પ્રકાર પારંગત કરે એ જ્ઞાનદીક્ષા. તથા બીજી રીતે જોવામાં આવે તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034929
Book TitleKutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Original Sutra AuthorN/A
AuthorBalchandracharya
PublisherZZZ Unknown
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy