________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૩)
ચાર ગુજરાતી પૂર્ણ કરી અંગ્રેજી અભ્યાસ માટે એંગ્લોવર્નાકયુલર સ્કૂલમાં દાખલ થયા. ત્યાં બે અંગ્રેજી સાથે પાંચમી અને છઠ્ઠી ગુજરાતી પૂર્ણ કરી ત્રીજી અંગ્રેજીમાં દાખલ થયા, તે સાથે સાતમી ગુજરાતીને પણ અભ્યાસ ચાલુ થયે.
78989893 આ લગ્ન, H
SEE888* શરીરે તંદુરસ્ત, સ્વરૂપવાન, અને અભ્યાસમાં આગળ વધતા ભાઈશ્રી હરજીવનદાસના વેવિશાળની વાતચીત ભાવનગરમાં તથા બહારગામ ચાલવા માંડી. એ જમાનામાં ભાવસાર જ્ઞાતિમાં નાની ઉમ્મરના દિકરા-દિકરીનું વેવિશાળ અને લગ્ન થાય તેમાં આબરૂ મનાતી! પુત્ર કે પુત્રી મોટી ઉમ્મરના થવા છતાં વેવિશાળ કે લગ્ન ન થયાં હોય તે તેમાં માનહાનિ ગણતી! ભાઈશ્રી હરજીવનદાસના માતા-પિતાએ પિતાના પુત્રનું વેવિશાળ કરી લહાવો લેવાને નિર્ણય કર્યો, અને ભાવનગર વડવામાં રહેતા ભાવસાર ત્રિકમદાસ નરશીદાસના સુપુત્રી એન રતન સાથે વેવિશાળ કરી સંવત્ ૧૯૫૭ના મહા શુદિ પંચમીના શુભ દિવસે ઘણું જ ઠાઠમાઠથી લગ્ન ક્યું.
સ્થાનકવાસી મટી મૂર્તિપૂજક બનેલા પિતાશ્રી
આપણે અગાઉ જણાવી ગયા તેમ ભાઈ શ્રી હરજીવનદાસના પિતાશ્રીને સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડ્યા હતા, તેમને પ્રતિમાજી તરફ બિલકુલ શ્રદ્ધા નહતી. જ્યારે ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરે ભાઈઓ, બહેને તથા તેમનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com