SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. છે અને તે બીજાને સુખી માને છે પણ પ્રત્યેકના હદયને પૂછશે તો કહેશે કે અમને આ દુઃખ છે. જ્યાં સંસાર છે ત્યાં દુઃખજ છે. અને દુઃખને સંબંધ સંસાર સાથે છે. જ્યાં જ્યાં સંસારની ઉત્તપતિ ત્યાં ત્યાં દુ:ખની ઉપતિ છે જ. એ દુ:ખની ઉત્પતિને નાશ કરી આત્મસુખમાં રમણ થવું એજ આ મનુષ્ય જન્મની પ્રાણીનું ફળ છે. મનુષ્ય જન્મની સ્થિતિ ભેગમાં જોડાય. ઉદર પુતિની પછવાડે આમિક શક્તિઓ ખરચી ભેગોને ઉત્પન્ન કરીએ તો મનુષ્ય જીવન અને પશુ જીવનમાં બહુ તફાવત નથી. જેમ પશુઓ ઉદરવૃતી કરી ભેગમાં જીવનને જેડી વિવેક વગર જીવનને સમાપ્ત કરે છે અને કુતરાઓ જેમ ઘર ઘર ભટકી લાકડીના પ્રહાર સહન કરી જીવનની પુર્ણાહુતી કરે છે તેમ માનવ દેશ દેશ ભટકી ભગની પરંપરા ઉતપન્ન કરવામાં સેંકડો કર્મના પ્રહારે જે સહન કરે તે મનુષ્ય જીવનની બરબાદી કરી તેને હારી જાય છે. ક્ષુદ્ર માણસો મેહની જાળમાં સપડાઈ ભવને ગુમાવી દે છે. સહાધ્યાઈઓને સારી રીતે કાળીદાસ નવરાશના ટાઈમમાં સંસારની અસારતા સમજાવતા વિશ્વની પ્રત્યેક વસ્તુઓ નાશવંત છે. અને સ્થિતી તે બદલાતી જ રહે છે. : ૪ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy