SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગાદી ત્યાગ. પૂજ્યશ્રીને પણ કાઠીયાવાડમાં અપવાદ શીવાય દરેક ક્ષેત્રેથી તેમને સંતોષ થયે હતે. કાઠીયાવાડની ધાર્મિક શ્રદ્ધા જોઈ પોતે બહુજ ખુશી થયા હતા. જીવદયાને સાચો સિદ્ધાંત કાઠીયાવાડમાં બહુ સારી રીતે પળાતે હતો. જીવ દયાની ધગશ પાંજરાપોળને પોષણ આપવાની તમન્ના કાઠીયાવાડના જેમાં સારી છે. એમ પૂજ્યશ્રી પોતાના શિષ્યને કઈ વાર કહેતા. કિયાવાદ એટલે કાઠીયાવાડમાં છે તેટલે ગુજરાતમાં નથી. અને ક્રિયા પ્રત્યે અભિરૂચી પણ ગુજરાતમાં નથી એમ પૂજ્યશ્રી ઘણી વાર બોલતા. દરેક દેશમાંથી પૂજ્યશ્રીને અનુરાગી વર્ગ અને લંકાગચ્છના અનુયાયીઓ આચાર્યપદાર્પણના મહોત્સવમાં ભાગ લેવા ઉરણ મુકામે આવવા લાગ્યા. મુંબઈથી પણ સેંકડે સ્ત્રી પુરૂષો આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. સમય જતા ૧૯૪૩ના માગશર સુદ ૧૩ ને દિવસે પ્રાત:કાળે મંગલ મુહુર્ત પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્યરત્નશ્રી ખુબચંદ્રજીને વિધિ સહિત આચાર્યપદવી આપી, ગચછની પરંપરા પ્રમાણે ગાદી ઉપર બેસાડયા. સર્વ સમાજને કહ્યું કે આજથી તમારે વર્તમાન આચાર્યશ્રી ખુબચંદ્રજીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. દીક્ષીતેને પણ તેજ પ્રમાણે કહ્યું. ખુબચંદ્રજીને પણ : ૧૪૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy