________________
પ્ર.. કા. શ કી ય નિવેદન
શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રણીત સદ્ધર્મારાધક શ્રી ચતુર્વિધ જૈન સંઘના પવિત્ર કર કમલમાં “શ્રી શાસન કંટધારક ગ્રંથમાલાના દસમા ગ્રંથાક તરીકે આ “શ્રી કલ્યાણ સમાધાન શુદ્ધિ પ્રકાશ યાને શ્રી શાસ્ત્રીય સમાધાન સંગ્રહ:” નામના ગ્રંથરત્નને સમર્પતાં આનંદ અનુભવીએ છીએ.
આપણું શ્રી જૈન સંઘને આજ પૂર્વે અનેક મહાશ તરફથી પ્રશ્નોત્તર ગ્રંથો પીરસાયેલ છે, તેમાં આ ગ્રંથરત્ન જુદી જ ભાત પાડે છે. અને તે એ કે-આજ પૂર્વે જે મહાપુરૂષોએ પ્રશ્નોત્તર ગ્રંથો પ્રસિદ્ધ કરેલા છે તે ગ્રંથને વિષે તે પ્રાયઃ શંકાકાની શંકાને યથામતિ શાસ્ત્રાનુલક્ષી સમાધાને જ જોવામાં આવે છે,
જ્યારે આ ગ્રંથને વિષે વિ. સં. ૨૦૦૫ થી પ્રસિદ્ધ થતા કલ્યાણ માસિકને વિષે (વર્ષ ૬ અંક ૮થી વર્ષ ૧૭ સુધીના અંકમાં) છપાએલા આ. શ્રી લબ્ધિસૂરિજી મ.ના સમાધાનમાંનાં અનેક સમાધાન, કે જે-શાસ્ત્રાનુલક્ષી હોવાને બદલે શાસ્ત્રવિરૂદ્ધ પરંપરા વિરૂદ્ધ અને કપોલકલ્પિત પણ હેઈને મહાન અનર્થકારી પણે અગ્રાહ્ય છે,
તે સંખ્યાબંધ સમાધાને પૂ. શાસન કંટકોદ્ધારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીને ભવિષ્યની જૈન પ્રજાને માટે હાનિપ્રદ ભાસવાથી તે આ૦ શ્રીના તેવા ૧૩૫ સમાધાનને શાસ્ત્રના પડે આપવા પૂર્વક શુદ્ધ કરીને આ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવા તેઓશ્રીએ અને સુપ્રત કર્યા તે બદલ અમો પૂજ્યશ્રીને અને આભાર વ્યકત કરીએ છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com