________________
૧૩૭
सर्वस्यापि चैत्यस्य समवसरणस्थानीयतया गर्भगृहबहिर्भागे दिकત્ર મૂવિનાના વિજ્ઞાનિ દુનિયા' એ પાઠ મુજબ દરેક જિનચૈત્યમાં સમવસરણને અનુલક્ષીને મુખ્યતયા ગર્ભગૃહે પ્રભુની ચૌમુખી અથવા ગર્ભગૃહના મૂલનાયક પ્રભુ અને તે મૂલનાયક પ્રભુની દિશા સિવાયની ગર્ભગૃહ બહારની શેષ ત્રણ દિશામાં તે મૂળનાયક પ્રભુના નામવાળા ત્રણ પ્રભુ, એમ ચાર પ્રભુ પધરાવવાનું વિધાન છે, તે રીતે કેઈ પણ વસ્તુને અનુલક્ષીને જિનચૈત્યમાં ત્રણ પ્રભુ સ્થાપવાનું વિધાન નહિ હોવાથી તે ત્રણ ગઢના અપભ્રંશ બનેલા “ત્રિગડુ” શબ્દ ઉપરથી દહેરાસરમાં ત્રણ પ્રભુનું સ્થાપન લેખાવ્યું તે કલ્પિત છે.
દહેરાસરજીના ગર્ભગૃહની જગ્યા અને સંઘની સગવડતાને લક્ષ્યમાં લેતાં જે સ્થળે શ્રીસંઘ, એ રીતે પ્રભુનાં સમવસરણને અનુલક્ષીને ગર્ભગૃહમાં કે શ્રી જિનમંદિરમાં ચાર જિનબિંબ ન પધરાવી શકે, અને એક બિંબથી વધારે બિંબ પધરાવી શકે તેમ હોય ત્યારે પણ બે બિબને બદલે ત્રણ બિંબ પધરાવવામાં બહુધા મૂળનાયક ગણવાની મુકેલીને દૂર કરવાને હેતુ હોય છે, અને એ હિસાબે ત્રણની જેમ પાંચ બિબ પણ પધરાવે છે. ત્રણ કે પાંચ જિનબિંબને માટે શ્રાદ્ધવિધિ પૃ. ૫૬, ઉપરના–“ત્રિતીથરતીર્થીવર્ષરિવર શામેવ દફતે એ પાઠ મુજબ “ત્રિતીર્થીપંચતીર વગેરે શબ્દો છે તે પણ તે મુજબ સંયુક્ત પ્રતિમાઓ હેય તેને આશ્રયીને છે, પરંતુ પૃથક પૃથક પ્રતિમાને આશ્રયીને નથી. આથી સમવસરણના ત્રણ ગઢ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com