________________
શંકાનું જે-“પ્રભાવક પુણ્યશાલી ગુરુદેવની મૂર્તિઓ અને પગલાં તેઓશ્રીની હયાતિમાં અથવા પક્ષમાં બનાવી પૂજી શકે છે અને ચતુર્વિધ સંઘ તેને ગુરુબુદ્ધિએ પૂજી અને વાંદી શકે છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, તેઓશ્રીએ પિતાની હયાતિમાં નવસારી પાસે જલાલપુરમાં તથા ખંભાત ચિંતામણિ પાર્શ્વનાથ આદિ સ્થાને પિતાની મૂર્તિ વગેરે બનાવેલ હેવાને આભારી ન હોય તે સારી વાત છે. શાસ્ત્રોમાં તે કઈ ઉલ્લેખ નથી તેમજ શ્રી દેવદ્વિગણિક્ષમાશ્રમણજી પયતના પૂર્વના પૂર્વધર મહાપુરુષો તથા તે પછીના નિકટવર્તી પ્રખર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીથી માંડી આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ, સેનસૂરિજી તેમજ દેવસૂરસંઘ પ્રવર્તે છે તે વિજયદેવસૂરિજી આદિ તે સમર્થ પ્રભાવક અને પુણ્યશાળી ગચ્છાધિપતિઓ હતા, છતાં તેમાનાં કેઈ ગુરુની તેઓના જીવતાં પાદુકા કે મૂર્તિઓ બનાવ્યાનું એક પણ દષ્ટાંત ધ્યાનમાં નથી; જ્યારે આજે તે બહુધા પિતે જ પિતાને પ્રભાવક ગણે તે કાળ પ્રવર્તે છે, એ સ્થિતિમાં ગુરુનાં જીવતાં ગુરુની મૂર્તિ બનાવવાનું જણાવવું તે વખત જતાં જિનમૂર્તિ કરતાં ગુરુમૂર્તિઓ વધી જવાના સંભવવાળા મહાન અનર્થનું કારણુ લેખાવું જોઈતું હતું.
(૨૩) લ્યાણ વર્ષ ૧૧, અંકલે પૃ. ૫૭૨, કે. ૨, તે જ પ્રશ્નકારે પૂછેલી-“શાસનદેવ અને અધિષ્ઠાયક દેવ, દેવી, યક્ષ, યક્ષિણી, માણિભદ્ર પાસે આ લેક કે પરલેક સંબંધી માગણી કઈ રીતે થાય ? ” એ શંકાનું જે-“ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com