SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાબિત થાય છે ત્યારે સુતરાં માયા પણ સત્યરૂપે સાબિત થાય છે. આમ આત્મા અને માયા એ બને તો વાસ્તવિક રીતે સાબિત થાય છે. આ આધારે દ્વૈતવાદ સ્પષ્ટ રીતે યુક્તિસિદ્ધ છે. છત્રી, ફાનસ, ટેપી, ડગલે વગેરે જે જે ચીજો આપણી નજરે ભ્રમવગર દેખાય છે તે દેખાવું શું ભ્રમ છે? શું ભૌતિક ચીજો છે જ નહિ, અને દેખાય છે તે ભ્રમ છે એમ બાબત છે? નહિ, એમ બની શકે નહિ. જે જે ચીજે વસ્તુતાએ દેખાય છે તે બધી યથાર્થ છે જગત મિથ્યા છે એટલે ખપુષ્પવત અસત્ છે એમ નથી. જગત્ પણ સત છે. રજજુમાં સપને ભ્રમ થાય છે, પણ પાછળથી રજજુ સમજાતાં આગળનું જ્ઞાન (સર્પ હોવાનું) ખોટું ઠરે છે. આ પ્રમાણે જગતની ચીજો જે દેખાય છે એ જ્ઞાન, પછીના કોઈ જ્ઞાનથી ખોટું કરે છે કે? નહિ જ. સામેની ખીંટી પર લટકાવેલી છત્રીને જેમ સંસારી માણસ જેશે, તેમ ગસિદ્ધ પૂર્ણ બ્રહ્મજ્ઞ પણ જેશે. એ બ્રા એ ઉપસ્થિત છત્રીને છત્રી નથી એમ નહિ કહે, એ પણ છત્રીનું અસ્તિત્વ બરાબર સ્વીકારશે. ફક માત્ર એટલો જ કે સામાન્ય જનના કરતાં જ્ઞાનાનું વસ્તુનું જ્ઞાન બહુ સૂક્ષ્મ હોય છે. આ ઉપરથી ચેતન અને જડ બને સદભૂત પદાર્થો છે એમ સમજવાનું છે. જે વચન જગતને-જડ ચીજોને અસત્ કહે છે એને અર્થ એ ખરવિષાણુવત્ છે એમ નથી કરવાને; પણ “અસત' ”માં “સત્ય” ને –એ અર્થ અહીં વિવક્ષિત નથી. એ અર્થ “સર્ચ કરવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy