SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ્રી માહના આધાર ઉપર આશ્રિત છે. માહનો નાશ થતાં દુઃખેાત્પત્તિનું એક પણ કારણ જીવને રહેતું નથી. મેાહનાં વાદળા વિખરાતાં-માહના અધકાર દૂર થતાં જીવ પેાતાના પૂર્ણ ઉજ્જવલ સ્વરૂપમાં પ્રકાશિત થાય છે પૂર્ણ શાન્તિને, પરમ સુખને પ્રાપ્ત કરે છે. માહવાસનાનું વિદ્યારણ-કાર્ય એ પુરુષાર્થનું મ્હોટામાં મ્હાટુ ક્ષેત્ર છે. જગતનાં મહાત્માં મહાન કાર્યોથી પણ એ વધુ પુરુષાર્થ માંગે છે. ત્યાં પુરુષાર્થની સીમા છે. આખા સંસાર એ વાસનામાં ડૂબેલા છે. એમાંથી નિકળનાર જ સાચા જ્ઞાની છે. આખુ જગત માને ચકડાળે ચઢેલુ છે. એમાંથી જે છૂટી શકયા છે તે જ સાચા વીર છે. જોમ્ (‘હું કાણું છું') ના ચિન્તનમાં જેને સ્ટેમ્ અથાત્ ‘હું તે હું’—હું તે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છું એમ સમજાયું છે, તે જ મહાભાગ માહને વિદારવાની દિશામાં પગલાં માંડી શકે છે. જીવનના શાશ્વત કલ્યાણુના લાભની ઉત્કંઠા જ્યારે જાગે છે ત્યારે આધ્યાત્મિક જીવન જીવવાની અભિરુચિ ઉત્પન્ન થાય છે. પરંતુ એ અભિરુચિને અમલમાં મૂકવી એ બહુ અઘરૂં થઈ પડે છે. વિષયરગના સાધારણ ચમકારાથી પણ જેએ અંજાઈ જાય છે એવા દુલ મનના માણસા આધ્યાત્મિક જીવનની ઘણી ઘણી ઇચ્છા કરવા છતાં, ઘણી ઘણી વાતા કરવા છતાં ઉંચા આવી શકતા નથી, અને પોતાની જીવન-દુર્દશા વધાર્યે જતા હાય છે. સંચાગવશાત્ વૈરાગ્યવૃત્તિના ઉભરા કે ભડકા માણુસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy