________________
જૂનાગઢ
૩૫
ગિરિનગરને સ્થાને જૂનાગઢ વસ્યું હોય તે જૂનાગઢ નામ કેવી રીતે વિકાસ પામ્યું તે પ્રશ્ન વિચારવા જે છે.
જીર્ણદુર્ગ એ એક સંસ્કૃત શબ્દ પ્રચલિત છે. પણ એ તે જૂનાગઢ નામ પડયા પછી તેનું સંસ્કૃત સ્વરૂપ બન્યું હોય એમ લાગે છે. યવનદુર્ગ એવી એક બીજી વ્યુત્પત્તિ આપવામાં આવે છે. એ કંઈક વધુ ચગ્ય લાગે છે. અશેકના સમયમાં ચવનરાજ તુષાર્પનું અહીં શાસન હતું. ત્યારે એ સ્થાનને યવનદુર્ગ એવું નામ મળ્યું હોય. યવનનું પ્રાકૃત રૂપાન્તર ન થાય અને તેના ઉપરથી જેન થાય. ચેનદુર્ગ-જેનદુર્ગ–જૂનાગઢ એ ક્રમે આ નામને વિકાસ થયો હોય એવી જે અટકળ શ્રી રસિકલાલ પરીખે કરી છે, એ જરૂર વિચારવા જેવી છે.
ભાટેની એક દંતકથા છે. એ દંતકથા અનુસાર સિંધના સમા રાજપૂતવંશના ચૂડાચંદ્ર નામના રાજાએ વામનસ્થલી–વંથલીમાં પોતાની ગાદી સ્થાપી હતી. આ ચૂડાચંદ્ર ચૂડાસમા વંશનો આદિ પુરુષ હોય એમ લાગે છે. ધંધુસરના લેખમાં તેને ચૂડાસમા વંશને આદિ પુરુષ ગ છે. દંતકથા અનુસાર વલભીના નાશ પછી લગભગ સો વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com