SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ? લહમીચંદ સુખલાલ, શ્રી માવજીભાઈ, શ્રી મંગળદાસ ત્રીકમલાલ ઝવેરી, શ્રી વિજયચંદ.માસ્તર વગેરેએ મહારાજશ્રીના જીવનના અનેક પ્રસંગ પર મનનીય વિવેચને કર્યા હતાં. શાંતમૂર્તિ મુનિશ્રી ગુલાબમુનિએ ગુરૂદેવના આખા ચરિત્રને સાર શ્રેતાઓને કહી સંભળાવ્યો હતે. આચાર્યશ્રીએ ઉપસંહારમાં ગુરૂદેવના જીવન પ્રસંગે જણાવી જેનસમાજને ઉદ્યોત કરવા પ્રેરણા કરી હતી. થાણાના સંધ તરફથી લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. બહાર ગામથી આવેલા માણસોને પ્રેમપૂર્વક જમાડવામાં આવ્યા હતા. જૈન મંદિરમાં પૂજા ભણાવી આંગી-રચના કરવામાં આવી હતી. વૈશાખ શુદિમાં આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી પિતાના વિશાલ શિષ્ય સમુદાય સાથે મુંબઈથી વિહાર કરીને થાણા પધાર્યા અને આચાર્ય શ્રી જીનદ્ધિસૂરીશ્વરજી જ્યાં બિરાજતા હતાં તે જ સ્થાનમાં સ્થિરતા કરી હતી. તેઓશ્રી થાણામાં દસ દિવસ રહ્યા હતા. વ્યાખ્યાનેને સારો લાભ આપે હતે. થાણાના શ્રાવકેએ સાધુ સમુદાયની સેવા ભકિતને સુંદર લાભ લીધો હતો, આ વખતે બને સૂરિપુંગવેએ અનેકવાર સાથે બેસીને વાર્તાલાપ કર્યો હતે. એક દિવસ શેઠ રવજીભાઈ સેજપાળ તથા શેઠ જીવતલાલ પ્રતાપસીની સાથે આચાર્યશ્રી શિષ્ય સમુદાય સહિત થાણાના નવા કલામય મંદિરનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા. શેઠ રવજીભાઈએ કામકાજની વીગતવાર સમજણ આપી હતી. દહેરાસરની બાંધણી, કલામય દ્રશ્ય તથા વિશાળ જગ્યા ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy