________________
દાદરના ભવ્ય પ્રતિષ્ઠા-મહેાસવ
( ૩૩ )
દાદરના પ્રતિષ્ઠા-ઉત્સવ માટે થાણાથી વિહાર કરી પન્યાસજી દાદર પધાર્યાં. થાણાના આખાળવૃદ્ધના હૃદયમાં મહારાજની સૌમ્ય, શાંત, તપસ્વી મુર્તિ કાતરાઈ ગઈ હતી. હર્ષ અને આનંદની લાગણીએથી થાણાની વિદાય ચિરસ્મરણીય હતી. તેવું જ દાદરના શ્રી સંઘનું ભાવભર્યું· સ્વાગત હતું. શ્રી શાંતિનાથ પ્રભુના જયઘાષથી ઉપાશ્રય ગુ’જી રહ્યો હતા. પન્યાસજીના જયનાદાથી સ્રી પુરૂષાએ દાદરની અજારી ગજાવી મૂકી હતી. દાદરના શ્રી સધના આનંદની સીમા નહાતી. પન્યાસજીની તમન્ના, દાદરના આગેવાનાની જહેમત, થાણાના નૂતનકળામય જીનાલયની નવરચના, દાદરની પ્રતિષ્ઠાની આવી પહેાંચેલી મંગળ ઘડી વગેરે પ્રસંગો બધાના હૃદયમાં તાજા થયા હતા. દાદર આજે હજારા સ્ત્રી પુરૂષાથી ઉભરાઇ રહ્યું હતું. ફાગણ સુદ ૧૨ ના રાજ મંગળપ્રભાતે પન્યાસજીએ દાદરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com