SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કેकम्मुणा ब्रह्मणो होइ, कम्मुणा होई खतिओ । वईस्सो कम्मुणा होइ, सुद्रो होइ कम्मुणा । અર્થાત ત્યાગ અને શિયાળ જેના જીવનમાં વણાયેલા છે, તે બ્રાહ્મણ, શરણાગતનું રક્ષણ કરે તે ક્ષત્રિય, વાણિજ્ય જેને વ્યવસાય છે તે વૈષ્ય અને સેવા આપે તે શુદ્ર. અથત વણે માણસના જન્મ આશ્રયી નહીં પણ એની કરણી આશ્રયી છે. એ ઉપરથી બીજો મુદ્દો એક આંગ્લ ઉકિત પ્રમાણે– A man is the Crorture of Circumstance. એટલે કે “આત્મા નિમિત્તવાસી છે. એવો તારવી શકાય. આમ નહતા તે તે નાના ગામડામાં રહેતા, જાતિએ ગૌડ બ્રાહ્મણ અને વ્યવસાયે કૃષિકાર કુટુંબમાં જન્મેલ “રામકુમાર” ભગવંત શ્રી મહાવીર દેવના સંઘમાં પ્રથમ પદ ભોગવતી સાધુ સંસ્થામાં ક્યાંથી આવતે અને એમાં પણ સૂરિપદ જેવા અતિ મહત્વના અધિકારે સ્થાપન થતું ! જ્ઞાની ભગવંતોએ પાંચ સમવાયનું સ્વરૂપ જે રીતે બતાવ્યું છે તે યથાર્થ છે. એમાં પૂર્વભવનો પુન્યોદય અને આ ભવને પુરૂપાર્થ ખરે જ કઈ અદ્દભુત ભાગ ભજવે છે. માનવી કપી ન શકે તેવું પરિણામ નજર સામે બનતાં દર્શાવે છે. “જીવન-પ્રભા'ના પાના ફેરવતાં આ વાતના નિતરાં દર્શન થાય છે. આ પ્રકારના ચરિત્ર દેરી, જેમણે સિદ્ધ હસ્ત લેખકપણું પ્રાપ્ત કર્યું છે એવા શ્રીયુત મહુવાકર પણ પિતાની કલમને સરળ વાણમાં આકર્ષક રીતે વહાવતા, પ્રકરણને વિવિધ સ્વાંગ સજાવતા, નવનવા સ્થળોના વિહાર વર્ણવતા અને પરમાર્થના કાર્યોની નોંધ લેતાં આગળ વધે જાય છે. પ્રકરણનાં મથાળે મૂકેલા ચિત્રો પણ ઓછાં ભાવવાહી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy