SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નિ પૂજા પદ્ધતિ પ્રતિકારક વળી પૂજા પ્રકરણના આ લેના ભાવને પૂ. હરિભદ્ર સૂરિએ પંચાશકમાં લીધો છે એ સાબિત કરે છે કે – પૂજાપહરણ કરી ઉમાસ્વાતિજીની કૃતિ છે. કદાચ એમ કહેવામાં આવે કે એમના ગ્રંથ તરીકેનો ૧૫૦૨ અને ૧૫૦૬ થી પહેલાંના ગ્રંથમાં ઉલ્લેખ આવતો હોય તો માનીએ તે તેને પણ જવાબ છે, શ્રી ધર્મરનાકરની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી શાંતિસૂરિજી “ દ્રવ્યસ્તવાભિધાયા” પ્રકરણમાં પૂજાવિધિ છે તેમ જણાવે છે. તેઓની શ્રી ધર્મરનપ્રકરણની લઘુવૃત્તિની પ્રત વિ. સં. ૧૨૭૧ ની તાડપત્ર ઉપર લખાયેલી મળે છે. તેથી એમ પણ સંભવે છે કે તે વખત સુધી શ્રી ઉમાસ્વાતિજીકૃત દ્રવ્યતવાભિધાયક પ્રકરણ પ્રસિધ્ધ હતું તેમાંથી જ ૨૦ લોક પ્રસિધ્ધ થયાં છે અને તે જ પૂજા પ્રકરણ” નામથી પ્રસિદ્ધિ પામ્યુ હશે? તેથી એકવીશ પ્રકારી પૂજા પણ નવીન નથી પણ પ્રાચીન જ છે એમ સાબિત થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા બધા ઉલ્લેખ હોવાં છતાં ૫. કલ્યાણવિ. મ. ને એકવીશ પ્રકારી પૂજા નવીન માલુમ પડે છે મને એમ લાગે છે કે – ખરી વાત તે એ છે કે જે પૂજા પણ પૂ. ઉમાસ્વાતિ કૃત છે એમ સાબિત થાય તો સ્નાનપૂણ સિદ્ધ થઈ જાય પણ આ એમનો ભય નકામો છે કારણ કે – જ્ઞાનપૂજાને સિદ્ધ કરનારા પ્રમાણે અમે પહેલાં પણ ઘણાં આપી ચૂકયાં છીએ જે અતીવ પ્રાચીનતમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy