SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) દેવેની કુસુમાંજલિના વિવિધ પુષ્પ - મચકુંદ ચંપ માલઇ, કમલાઈ પુષુપંચવણુઈ, જગનાહ હવણુ સમયે, દેવા કુસુમાંજલિ દિંતિ. ૫ પ્રભુનું અંગ તે દિવ્ય અને પવિત્ર છે, છતાં નિર્મળ પાણીથી સ્નાન કેમ કરવાનું? પ્રત્યુતરમાં સ્નાત્રરચયિતા જળપૂજામાં જણાવે છે કે જ નહવણની પૂજા રે નિમલ આતમા રે” એટલે કે આપણે આત્મા દુર્ગણેથી મલીન અને પાપિની પરવશતાથી કાળો છે, તેથી પ્રભુના પવિત્રઅંગ પર સ્વચ્છ જળને અભિષેક કરવા રૂપી ભકિતથી આત્માની મલિનતા થા કાળાશ અવશ્ય દૂર કરી શકાય છે. અભિષેક કર્યા બાદ પ્રભુને કિંમતી ઉમદા વસ્ત્ર તથા કુસુમાંજલિ ચઢાવવી. કુસુમાંજલિમાં આમતે ફૂલેને ખોબો ભરવાનો હેય. પણ હાલ પ્રવૃત્તિમાં શુધ્ધ અખંડ ચેખા, લાલચેળ કેસર પુ વિગેરે દ્રવ્યો એકઠા કરવાથી તે બને છે. મચકંદ, ચં, માલતી, કમળ, વિગેરેના પાંચ વર્ણના પુષ્પથી શોભતી કુસુમાંજલિ દેવે જગતના નાથને જન્મ સમયે સમર્પે છે, એટલે કુસુમાંજલિથી દેવાધિદેવની પૂજા કરે છે. રાગઠપથી પીડાએલ જગત નિરાધાર છે, જેને કોઈ બેલી નથી. નાથ તેને જ કહી શકાય કે જે આશ્રિતને નહિ મળેલી ઈષ્ટ વસ્તુઓને મેળવી આપે છે, અને મળેલી વસ્તુઓનું સંરક્ષણ કરી આપે છે. આવા જગતના સાચા નાથ તરીકે તે કેવળ પરમાત્માજ બની શકે છે, કારણ કે કર્મના પનારે પડેલા દુઃખી જગતને સમ્યગદર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યફચારિત્ર રૂ૫ માર્ગનું દાન કરે છે, અને એ માગને પ્રાપ્ત કરાવી છે ને વધુ સ્થિર બનાવી સંરક્ષણ કરી આપે છે. મહાશ્રીમતિ, ચક્રવતિઓ, દે કે વન્દ્રો પણ આવા નાથ તરીકે બનવાની તાકાત હરગીજ ધરાવી શકતા નથી, કારણ કે તેઓ સંપત્તિના નાથ બનવા છતાં સ્વયં પિતાનાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy